Home State Gujarat Ahmedabad News :અમદાવાદમાં વહેલી સવારે કાળમુખી આગ: કૃષ્ણનગરી રો-હાઉસમાં પરિવાર નિદ્રામાં હતો...

Ahmedabad News :અમદાવાદમાં વહેલી સવારે કાળમુખી આગ: કૃષ્ણનગરી રો-હાઉસમાં પરિવાર નિદ્રામાં હતો ત્યારે જ ભભૂકી આગ, વૃદ્ધા અને માસૂમ બાળકનું મોત

0
253
Ahmedabad

Ahmedabad News :શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદના બકેરી સિટી વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એક વૃદ્ધા અને એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Ahmedabad News :નિદ્રામાં રહેલા પરિવાર પર ત્રાટક્યો કાળ

Ahmedabad News

ઘટનાની વિગતો અનુસાર, કૃષ્ણનગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે કે બહાર નીકળે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓએ તેમને ઘેરી લીધા હતા.

Ahmedabad News :ફાયર વિભાગની કામગીરી અને રેસ્ક્યુ

સ્થાનિક લોકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘરની અંદર ફસાયેલા એક વૃદ્ધા અને બાળકને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયા હતા.

આગનું કારણ શું?

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ અને એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર લોકોમાં ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃતિના પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો :મહેસાણામાં અકસ્માત નહીં પણ ખોફનાક આત્મહત્યા! CCTVમાં કેદ થઈ યુવકની અંતિમ પળ, ચાલતા ટ્રેલર નીચે સૂઈ ગયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે