Indian Air Force આસામના જોરહાટ એરબેઝ પર ભારતીય વાયુસેનાના AN-32 વિમાનને અકસ્માત નડતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું અને ત્યારબાદ તેમાં ભયાનક આગ ફાટી નીકળી હતી.
Indian Air Force લેન્ડીંગ દરમ્યાન થયું ક્રેશ

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન નિયમિત ઉડાન પૂર્ણ કરીને જોરહાટ એરબેઝ પર ઉતરી રહ્યું હતું. તે દરમિયાન અચાનક વિમાનમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ બાદ વિમાન આગની લપેટમાં આવી જતાં એરબેઝ પર દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ એરબેઝ પર તૈનાત ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી.
Indian Air Force વિમાનમાં સવાર ક્રૂ સભ્યો અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી નહિ

હાલમાં વિમાનમાં સવાર ક્રૂ સભ્યો અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અકસ્માતનું ચોક્કસ કારણ પણ હજુ સુધી સામે આવ્યું નથી.ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ટેકનિકલ ખામી સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અકસ્માતના કારણો શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.
વધારે સમાચાર વાંચવા અહી ક્લિક કરો

