Gujarat Government Crackdown: હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર ખાતા પહેલા સાવધાન! હવે પનીર પ્રેમીઓ સાવધાન! હવે હોટલના મેનુમાં ‘અસલી’ કે ‘એનાલોગ’ લખવું પડશે ફરજિયાત.

0
153
Gujarat Government Crackdown
Gujarat Government Crackdown

Gujarat Government Crackdown:  જો તમે બહાર જમવાના શૌખીન હોવ અને પનીરની વાનગીઓ તમારી ફેવરિટ હોય, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ અને મહત્વના છે. રાજ્યમાં વધી રહેલા નકલી પનીરના દૂષણને ડામવા માટે ગુજરાત સરકાર હવે એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરી છે કે હવેથી દરેક હોટલ અને રેસ્ટોરન્ટે ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર શુદ્ધ છે કે ‘એનાલોગ’ (નકલી), તેની જાણકારી બોર્ડ પર ફરજિયાત આપવી પડશે.

Gujarat Government Crackdown: શું છે આ ‘એનાલોગ પનીર’ અને કેમ છે જોખમી?

Gujarat Government Crackdown

સામાન્ય પનીર શુદ્ધ દૂધમાંથી બને છે, પરંતુ એનાલોગ પનીર’ એ દૂધ વગરનું કૃત્રિમ પનીર છે.

  • શેમાંથી બને છે? પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને હાનિકારક કેમિકલ્સના મિશ્રણથી તેને તૈયાર કરાય છે.
  • સ્વાસ્થ્ય પર અસર: તેમાં કુદરતી પોષક તત્વો હોતા નથી અને ખરાબ ફેટ્સનું પ્રમાણ વધુ હોવાથી તે હૃદય અને પાચનતંત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Gujarat Government Crackdown: બોર્ડ લગાવવું ફરજિયાત

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે:

  1. હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડમાં સ્પષ્ટ લખવું પડશે કે તેઓ એનાલોગ પનીર” વાપરે છે.
  2. ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.
  3. જો કોઈ એકમ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમનું લાઇસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે.

Gujarat Government Crackdown: સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાતા તંત્ર હરકતમાં

Gujarat Government Crackdown

આ કડક નિર્ણય પાછળ સુરતમાં થયેલી મોટી કાર્યવાહી જવાબદાર છે. તાજેતરમાં સુરત પાલિકાએ 1400 કિલો સબ-સ્ટાન્ડર્ડ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પનીરમાં તેલ અને પાવડરનું ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ આખા રાજ્યમાં ડેરીઓ અને હોલસેલ સપ્લાયર્સ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

Gujarat Government Crackdown: તમે કેવી રીતે ઓળખશો અસલી અને નકલી પનીર?

નિષ્ણાતોએ ગ્રાહકોને જાગૃત કરવા માટે કેટલીક ટિપ્સ આપી છે:

  • અસલી પનીર: તે નરમ હોય છે, મસળતા દાણાદાર બને છે અને તેનો સ્વાદ દૂધ જેવો મીઠો હોય છે.
  • નકલી (એનાલોગ) પનીર: તે રબર જેવું ખેંચાય છે, ગરમ કરતા તેમાંથી તેલ છૂટું પડવા લાગે છે અને તેનો સ્વાદ કુદરતી હોતો નથી.

Gujarat Government Crackdown: “પૈસા ચૂકવો છો તો શુદ્ધતા માંગો”

આરોગ્ય મંત્રીએ જનતાને અપીલ કરી છે કે, “તમે હોટલમાં જઈને પૈસા ચૂકવો છો, તો શુદ્ધ વસ્તુ મેળવવી એ તમારો હક છે.” લગ્નગાળા અને ઉત્સવોમાં ભેળસેળ ન થાય તે માટે ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હવે ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : કડીમાં કાળજું કંપાવતી ઘટના: રોડ પર સૂતેલા બે માસૂમ ભાઈઓ પર JCB ફરી વળ્યું, 10 કલાક સુધી માતા લાશ પાસે બેસી રહી