LPG Crisis Over:છેલ્લા પાંચ દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો સામનો કરી રહેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને દેશના 29 રાજ્યોમાં વિતરણ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
LPG Crisis Over: શું છે મુખ્ય વિગતો?

- સપ્લાય શરૂ: 9 માર્ચથી લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી, તેથી લોકોએ ઉતાવળમાં બુકિંગ કરી ગભરાવાની જરૂર નથી.
- કાળાબજારી પર લગામ: સિલિન્ડરની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારી કરનારાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. MP, UP અને દક્ષિણ ભારતમાં ગોદામો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
LPG Crisis Over: ગુજરાતના બંદરો પર આવશે LPGનો જથ્થો

યુદ્ધગ્રસ્ત હોર્મુઝ રૂટ પર ફસાયેલા બે ભારતીય જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.
- આ જહાજો 92,700 ટન LPG લઈને ગુજરાતના મુંદ્રા અને કંડલા બંદર તરફ આવી રહ્યા છે.
- આ જથ્થો 16 કે 17 માર્ચ સુધીમાં પહોંચવાની શક્યતા છે, જેનાથી ગેસની અછત સંપૂર્ણપણે દૂર થશે.
દિલ્હીમાં કચરામાંથી બનશે બળતણ (RDF)
પ્રદૂષણ અને ગેસની અછતને પહોંચી વળવા સરકારનો મોટો નિર્ણય:
- દિલ્હી-NCRની હોટલો અને ઈન્ડસ્ટ્રીઝને હવે નેચરલ ગેસના બદલે બાયોમાસ પેલેટ્સ અને RDF (રિફ્યુઝ ડિરાઈવ્ડ ફ્યુઅલ) વાપરવાની મંજૂરી અપાઈ છે.
- RDF એ નગરપાલિકાના સૂકા કચરા (પ્લાસ્ટિક, કાગળ, લાકડા) ને પ્રોસેસ કરીને બનાવેલું ઇકો-ફ્રેન્ડલી બળતણ છે.




