Tragedy in Rajasthan: રાજસ્થાનમાં ભયાનક દુર્ઘટના કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 મજૂરો જીવતા ભૂંજાયા, માત્ર હાડપિંજર જ બચ્યા

0
90

Tragedy in Rajasthan: રાજસ્થાનના ભિવાડી સ્થિત ખુશખેડા કરૌલી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આજે સવારે એક કેમિકલ અને ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ફેક્ટરીમાં કામ કરતા 8 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળેથી માત્ર માનવ હાડપિંજર અને બળેલા અંગો જ મળી આવ્યા છે.

Tragedy in Rajasthan: ઘટનાની મુખ્ય વિગતો:

Tragedy in Rajasthan
  • ક્યારે થઈ દુર્ઘટના?: સોમવારે સવારે લગભગ 9:30 વાગ્યે જ્યારે મજૂરો કામ પર લાગ્યા હતા.
  • કેટલા લોકો હતા?: ફેક્ટરીમાં અંદાજે 25 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.
  • બચાવ કાર્ય: પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આગની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
  • હાલની સ્થિતિ: 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 1 મજૂર ફસાયેલો હોવાની આશંકા છે. મૃતદેહો એટલી હદે સળગી ગયા છે કે પોલીસ પ્લાસ્ટિક બેગમાં બોડી પાર્ટ્સ એકઠા કરી રહી છે.
Tragedy in Rajasthan

Tragedy in Rajasthan: તંત્રની કાર્યવાહી

Tragedy in Rajasthan

એડીએમ સુમિતા મિશ્રા અને ડીએસપી શિવરાજ સિંહ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજેન્દ્ર નામના વ્યક્તિની આ ફેક્ટરીમાં કેમિકલની સાથે ગેરકાયદેસર રીતે ફટાકડા પણ બનાવવામાં આવતા હતા.

આ પણ વાંચો : અમદાવાદ-વડોદરાની 8 શાળાઓને બોમ્બની ધમકી: મોદી-શાહ ટાર્ગેટ પર, મેઈલમાં ‘ખાલિસ્તાન’નો ઉલ્લેખ થતા ખળભળાટ