Home State Gujarat Controversy at Bhavnath: મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવી, સાધુ-સંતોમાં...

Controversy at Bhavnath: મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવી, સાધુ-સંતોમાં નારાજગી

0
311
Bhavnath
Bhavnath

Controversy at Bhavnath:  ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં અંતિમ દિવસે મૃગીકુંડમાં શાહી સ્નાન દરમિયાન વિવાદ સર્જાયો હતો. ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી કીર્તિ પટેલ ભગવા વસ્ત્રોમાં સાધુઓની વચ્ચે પહોંચી ગઈ હતી અને મૃગીકુંડમાં ડૂબકી લગાવી ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સ્નાન કરતી જોવા મળી હતી.

માહિતી અનુસાર, રવેડી પૂર્ણ થયા બાદ સાધુ-સંતો પરંપરાગત રીતે મૃગીકુંડમાં શાહી સ્નાન માટે પહોંચ્યા હતા. તે દરમિયાન કીર્તિ પટેલ પણ ભગવા કપડાંમાં ત્યાં પહોંચી ગઈ હતી. સાધુઓની વચ્ચે જ ડૂબકી લગાવતાં કેટલાક સાધુ-સંતોમાં નારાજગી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને કીર્તિ પટેલને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.

Controversy at Bhavnath

Controversy at Bhavnath:  સાધુ-સંતોમાં રોષ

Controversy at Bhavnath

મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “રવેડી બાદ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે, ત્યારે સાધુના વસ્ત્રોમાં કેટલાક લોકો સ્નાન કરવા પહોંચે છે તે દુઃખદ બાબત છે.”

Controversy at Bhavnath:  તંત્રનો સ્પષ્ટ સંદેશ

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “આ મુદ્દે સાધુ-સંતો સાથે નીતિ-નિયમ અંગે ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ગેરકાયદેસર કૃત્ય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના બની હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

મહાશિવરાત્રિના મેળામાં સર્જાયેલા આ બનાવને લઈને ચર્ચાઓ તેજ બની છે અને ધાર્મિક પરંપરાઓને લઈ સવાલો ઊભા થયા છે. તંત્ર તરફથી તપાસ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : અમદાવાદ-વડોદરાની 8 શાળાઓને બોમ્બની ધમકી: મોદી-શાહ ટાર્ગેટ પર, મેઈલમાં ‘ખાલિસ્તાન’નો ઉલ્લેખ થતા ખળભળાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે