Sanchar Saathi app :સાયબર ક્રાઇમથી બચવા ‘સંચાર સાથી’ હવે ફરજિયાત દરેક નવા સ્માર્ટફોનમાં એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાનો સરકારનો આદેશ

0
142
Sanchar Saathi
Sanchar Saathi

Sanchar Saathi app :ભારતમાં ઝડપથી વધતા સાયબર ક્રાઇમ, નકલી IMEI નંબર અને ફોન ચોરીને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે દેશભરના દરેક નવા સ્માર્ટફોનમાં સરકારની સાયબર સિક્યોરિટી એપ ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ રાખવી ફરજિયાત બનશે. આ માટે એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો અને શાઓમી જેવી મોટી મોબાઇલ કંપનીઓને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Sanchar Saathi app

સરકારના આદેશ મુજબ, આ એપને યુઝર ડિલીટ અથવા ડિસેબલ કરી શકશે નહીં. જૂના ફોનમાં પણ આવતા સોફ્ટવેર અપડેટ સાથે આ એપ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે.
રોયટર્સ મુજબ આ આદેશ હજુ જાહેર નથી, પરંતુ અમુક પસંદગીની કંપનીઓને ખાનગી રીતે મોકલાયો છે.

Sanchar Saathi app :શું છે સંચાર સાથી એપ?

• સરકાર દ્વારા બનેલું સાયબર સેફ્ટી ટૂલ
• 17 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ
• અત્યાર સુધી પ્લે-સ્ટોર અને એપ સ્ટોર પર વોલન્ટરી ડાઉનલોડ
• હવે દરેક નવા ફોનમાં ફરજિયાત ઇન્સ્ટોલ

આ એપથી યુઝર કરી શકે—
• ફ્રોડ કોલ, SMS, WhatsApp ચેટની ફરિયાદ
• IMEI ચેક કરીને ચોરાયેલા અથવા ગુમ થયેલા ફોનને બ્લોક
• સાયબર ક્રાઇમ રિપોર્ટિંગને વધુ સરળ બનાવવા સહાય

Sanchar Saathi app

Sanchar Saathi app:ડુપ્લિકેટ IMEIને કારણે વધી રહ્યો છે સાયબર ક્રાઇમ

ભારતમાં 1.2 અબજ મોબાઈલ યુઝર્સ છે અને નકલી અથવા ડુપ્લિકેટ IMEIના કારણે સાયબર ફ્રોડ વધ્યા છે.
ગુનેગારો IMEI ક્લોન કરીને ચોરાયેલા ફોનને ટ્રેક થવાથી બચાવે છે અને સ્કેમ ચલાવે છે.

DoTએ તાજેતરમાં જણાવ્યું કે 22.76 લાખ ખોવાયેલા અથવા ચોરાયેલા ફોન ટ્રેસ કર્યા છે—જેમાં આ ટેકનોલોજીનો મોટો ફાળો છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું—
“નકલી IMEI બંધ કરવાનો અને નેટવર્ક મિસ્યુઝ રોકવાનો સૌથી જરૂરી રસ્તો આ એપ છે.”

Sanchar Saathi app

Sanchar Saathi app  :મોબાઇલ કંપનીઓની મુશ્કેલીઓ

સૂત્રો મુજબ, આદેશ પહેલા કોઈ કન્સલ્ટેશન ન થતાં કંપનીઓ અચંબામાં છે.
ખાસ કરીને એપલ માટે મુશ્કેલી—
કારણ કે એપલની પોલિસી અનુસાર સરકારી કે થર્ડ-પાર્ટી એપ પ્રી-ઇન્સ્ટોલ કરી શકાય નહીં.

અગાઉ પણ એપલનો TRAI સાથે એન્ટી-સ્પામ એપને લઈને વિવાદ થયો હતો.
એપલ હવે સરકાર સાથે નેગોશિયેશન કરી શકે છે અથવા યુઝર્સ માટે વોલન્ટરી ઇન્સ્ટોલેશન પ્રોમ્પ્ટનો વિકલ્પ આપી શકે છે.

Sanchar Saathi app:યુઝર્સને સીધો ફાયદો

• IMEI ચેક કરી ચોરાયેલા ફોનને તરત બ્લોક કરી શકે
• ફ્રોડ કોલ/મેસેજની ફરિયાદ સરળ બને
• સાયબર ક્રાઇમનો જોખમ ઘટે

પરંતુ—
એપ ડિલીટ ન કરી શકાય એ મુદ્દે પ્રાઇવસી ગ્રુપ્સ ચિંતા વ્યક્ત કરી શકે છે.
ભવિષ્યમાં એપમાં વધુ ફીચર્સ, AI આધારિત ફ્રોડ ડિટેક્શન અને એડવાન્સ ટ્રેકિંગ પણ ઉમેરાય તેવી શક્યતા છે.

DoTનું કહેવું છે—
“આ પગલું દેશની ટેલિકોમ સિક્યોરિટી નેક્સ્ટ લેવલ પર લઈ જશે.”

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Supreme Court Orders:₹3000 કરોડના ડિજિટલ એરેસ્ટ કૌભાંડ પર સુપ્રીમ કોર્ટ સખ્ત, તપાસની કમાન CBIને સોંપાઈ