દૂધસાગર ડેરી રાજકારણ #dudhsagarderi #derirajkaran #mehsanadairy #dudhpavdar- મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરીમાં લાફા કાંડ બાદ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે ડેરીની બોર્ડ બેઠક દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી અને વાત લાફા સુધી પહોંચી હતી. આ ઘટનાના બીજા દિવસે આજે વાઇસ ચેરમેને મોટો ખુલાસો કર્યો હતો , વાઇસ ચેરમેને આજે ચરાડા ગામ સ્થિત ડેરીના દૂધ પાવડરના ગોડાઉનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરીહતી . રેડ દરમિયાન હજારો મેટ્રિક ટન એક્સપાયરી ડેટવાળો દૂધ પાવડર મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પાવડરને એક્સપાયર થયે 2 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે.
દૂધસાગર ડેરી રાજકારણ વાઇસ ચેરમેને ડેરીના ગોડાઉનમાં પાડી રેડ


ચરાડા ગામમાં દૂધના પાવડરના ગોડાઉનમાં પાડી રેડ
છતાં આ પાવડરનો ઉપયોગ ચેરમેન આઈસક્રીમમાં વાપરવાના હોય તેવો ગઇકાલે બોર્ડમાં જવાબ આપ્યાનો વાઇસ ચેરમેને દાવો કર્યો હતો , આ સમગ્ર મામલાથી ડેરીની કામગીરી અને વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાજકીય માહોલ પણ તંગ બન્યો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શકયતા છે. તમને અહી જણાવી દઈએ કે દૂધસાગર ડેરી દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી પત્રિકામાં આ મહિનાના દેવા તરીકે ₹14 કરોડ દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ નો દાવો હતો કે વાસ્તવિક દેવું ₹17 કરોડ નું છે.
હજારો મેટ્રિક ટન એક્સપાયરી ડેટ પાવડર મળી આવ્યો


ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ગઇકાલે બોર્ડ બેઠકમાં થઈ હતી લાફાવાળી
બોર્ડ મીટિંગમાં યોગેશભાઈ પટેલે આ મુદ્દે મેનેજિંગ ડિરેક્ટર (MD) ને પ્રશ્ન પૂછ્યો હતો.વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલના આરોપ મુજબ, પ્રશ્નોતરી દરમિયાન ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પ્રશ્નનો જવાબ ન આપી શકતા ઉગ્ર થઈ ગયા હતા અને તેમને લાફો માર્યો હતો. ત્યારબાદ, ચેરમેનના નજીકના ગણાતા ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ વાઇસ ચેરમેને લગાવ્યો છે.
આ ઘટના બાદ યોગેશભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.દૂધસાગર ડેરી રાજકારણમાં ગરમાવો આ સાથે જોવા મળ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે