HomeUncategorizedRavi Kishan: લો કરલો બાત... મોદીજીની સાધનાથી હવામાન સુધર્યું... ગરમી ઓછી થવા...

Ravi Kishan: લો કરલો બાત… મોદીજીની સાધનાથી હવામાન સુધર્યું… ગરમી ઓછી થવા પર રવિ કિશનનું ‘કન્યાકુમારી’નું જ્ઞાન

Ravi Kishan: જૂન મહિનો બદલાતાની સાથે ઉત્તર પ્રદેશમાં પણ હવામાન થોડું આહલાદક અનુભવાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડી રાહત અનુભવી હતી. જોકે, ગોરખપુરના સાંસદ રવિ કિશનના જણાવ્યા અનુસાર હવામાનમાં ફેરફારનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. રવિએ કહ્યું છે કે વડાપ્રધાનના ધ્યાનના કારણે જ હવામાન ખુશનુમા બની ગયું છે.

Ravi Kishan: મોદીજીની સાધનાથી હવામાન સુધર્યું...
Ravi Kishan: મોદીજીની સાધનાથી હવામાન સુધર્યું…

Ravi Kishan: વડાપ્રધાન મોદીએ સૂર્ય દેવને પણ શાંત કરી દીધા

રવિ કિશને કહ્યું કે, ‘પ્રધાનમંત્રી જેમ જ ધ્યાનમાં લીન થયા કે તરત જ હવામાન બદલાવા લાગ્યું. જેમ તેઓ સધનામાં લીન થઇ તેમાં સમાઈ જાય છે, સમગ્ર વાતાવરણ બદલાઈ જાય છે. વડાપ્રધાનના પ્રયાસોને કારણે જ હવામાન સારું બન્યું છે. જ્યારે તેઓ સાધના કરે છે, ત્યારે બધી શક્તિઓ તેમની સાથે જોડાય જાય છે. તેમનું ધ્યાન જોઈને સૌ પૂજામાં તલ્લીન થઈ ગયા. પીએમ મોદીજી રસ્તો બતાવી રહ્યા છે અને આખો દેશ એ જ રસ્તે ચાલી રહ્યો છે.

ગોરખપુર બૂથ પર મતદાન પ્રક્રિયા દરમિયાન મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા રવિ કિશને કહ્યું કે એક ટકા પણ શંકા ન હોવી જોઈએ. આ વખતે માતાઓ, બહેનો, વડીલો અને યુવાનોનું સંપૂર્ણ સમર્થન પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સાથે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી 45 કલાક ધ્યાન કરી રહ્યા છે. દક્ષિણ ભારતના સુદૂર કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદી માટે આ અત્યંત એકાંતની ક્ષણો છે. તેણે સવારે ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યું અને પછી પૂજા કર્યા પછી તે ધ્યાન માં મગ્ન થઈ ગયા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments