રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ સુધી સ્થગિત

0
155
રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ સુધી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ સુધી સ્થગિત

મણિપુર હિંસા પગલે રાજ્યસભામાં હોબાળો

 રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ સુધી સ્થગિત

શુક્રવારે પણ લોકસભામાં હોબાળો યથાવત 

રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. મણિપુર હિંસાને પગલે રાજ્યસભામાં હોબાળો યથાવત છે.  સંસદના ચોમાસુ સત્રના  સાતમા દિવસે શુક્રવારે પણ સંસદમાં હોબાળો થયો હતો.. અત્યાર સુધીના છ દિવસ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં પસાર થયા છે. વિપક્ષી પાર્ટીઓ મણિપુર હિંસા અને વિવાદાસ્પદ વાયરલ વીડિયો પર વડાપ્રધાન મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે શુક્રવારે પણ ગૃહોમાં મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા અને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકાર અને વિપક્ષી સાંસદો વચ્ચે હોબાળો થયો હતો. મણિપુર મામલે ચર્ચા માટે સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવારે (31 જુલાઈ) સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

LJP ના પ્રમુખ ચિરાગ પાસવાને સંસદની કાર્યવાહી સ્થગિત કર્યા પછી કહ્યું, “સંસદની કાર્યવાહી શરૂ થયાને 7-8 દિવસ થઈ ગયા છે, જો આ સમયગાળા દરમિયાન એકવાર પણ ચર્ચા થઈ હોત, તો  નિષ્કર્ષ પર પહોંચ્યા.” હોત જો ચર્ચા બાદ સરકારનો જવાબ તમને સંતોષકારક ન હતો, તો તમે પીએમ પાસે આના જવાબની માંગ કરી શક્યા હોત. તમે લોકો માત્ર હંગામો મચાવી રહ્યા છો. વિપક્ષી પાર્ટીઓ મણિપુર હિંસા કેસ પર પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

વાંચો અહીં 34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોહરમનું જુલુસ નીકળ્યું