HomeDeshપંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો

સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે પાકિસ્તાનથી આવ્યા હતા હથિયાર

અસાલ્ટ રાઇફલ AN-94 થી ફાયરિંગ કરવામાં આવ્યું હતું

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂસેવાલા હત્યા કેસમાં ઉપયોગમાં લેવાયલા હથિયારો પાકિસ્તાનથી આવ્યા હતા. પાકિસ્તાનના હમીદ નામના આર્મ્સ સ્મગલરે આ હથિયારો સપ્લાય કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હમીદ દુબઈમાં રહે છે.

આ હત્યા ગયા વર્ષે 29 મેના રોજ થઈ હતી

29 વર્ષીય મુસેવાલાને ગયા વર્ષે 29 મેના રોજ  માનસા જિલ્લામાં તેમના  ગામ નજીક ગેંગસ્ટરોએ ગોળી મારી દીધી હતી, સરકારે મુસેવાલાની  સુરક્ષામાં ઘટાડ્યાના 24 કલાકથી ઓછા સમયમાં. મુસેવાલા અને તેના બે સાથીઓ પર 2 મિનિટ અને 30 સેકન્ડ સુધી સતત ગોળીબાર થતો રહ્યો. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ગુનામાં AK-47 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અસાલ્ટ રાઇફલ AN-94 થી ફાયરિંગ કરવામાં આવ્યું હતું

મુસેવાલા પર જે ત્રણ હથિયારોમાંથી ગોળીઓ ચલાવવામાં આવી હતી તેમાં એક અસાલ્ટ રાઇફલ AN-94 પણ સામેલ હતી. આ હથિયારના ઉપયોગથી ગુપ્તચર એજન્સીઓ પણ હેરાન રહી ગઈ હતી, કારણ કે આ અસાલ્ટ રાઈફલનો ઉપયોગ માત્ર સશસ્ત્ર દળો દ્વારા જ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હામિદે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બુલંદશહેરના રહેવાસી ગુર્ગે ને હથિયારો સપ્લાય કર્યા હતા

વાંચો અહીં આસામમાં પૂરની સ્થિતિ વણસી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments