બોલિવુડ સ્ટાર નસીરુદ્દીન શાહનું ‘ધ કેરાલા સ્ટોરી’ અંગે નિવેદન

0
59

‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મ જોવામાં મને રસ નથી : નસીરુદ્દીન

કોઈને ખુશ કરવા માટે કોઈ કામ ન કરવું જોઈએ : નસીરુદ્દીન

બોલિવુડના દિગ્ગજ સ્ટાર નસીરુદ્દીન શાહને ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે, “મને આવી ફિલમ્સ જોવામાં રસ નથી. આજકાલ કેટલીક ફિલ્મોનો ઉપયોગ પ્રોપેગેંડા અને દુષ્પ્રચાર માટે થઈ રહ્યો છે. આજના સમયમાં મુસ્લિમોથી નફરત કરવી એ ફેશન બની ગઈ છે. લોકોમાં ચતુરાઈથી મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરવામાં આવી રહી છે. આમ તો આ ધર્મનિરપેક્ષ લોકશાહી દેશ છે, પરંતુ તેમ હોવા છતાં દરેક જગ્યાએ ધર્મની વાત કરવામાં આવે છે. ધર્મના નામે વોટ માંગનારા નેતાઓને ચૂંટણી પંચ પણ કશું કહેતું નથી.પ્રચાર અને નફરત સામે લડવા માટે કલાકારોએ આગળ આવવું પડશે. તેઓએ પોતાનો અવાજ ઉઠાવવો પડશે. કોઈને ખુશ કરવા માટે કોઈ કામ ન કરવું જોઈએ. એવી વસ્તુઓ ન કરો જે તમને અનુકૂળ ન હોય.”


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.