બજરંગ દળ મુદ્દે નિવેદન આપાવા બદલ ખડગે પર કેસ  

0
429

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતુંકે જો સત્તામાં આવીશુ તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ નિવેદન આપ્યું હતું. અને બજરંગદળને દેશ વિરોધી સંગઠન ગણાવ્યું હતું. ખડગેને માનહાની કેસમાં સંગરૂરની એક કોર્ટે નોટિસ મોકલી છે.બજરંગદળ મુદ્દે આપેલા નિવેદનને પગલે  ખડગે સામે કેસ નોંધાયો હતો.