અમદાવાદ શહેરના આગામી પોલીસ કમિશ્નરને લઇ મોટા સમાચાર

0
128

અનુપમસિંહ ગેહલોત અથવા ડો.શમશેરસિંહ બની શકે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર

ગુજરાતમાં ટૂંક સમયમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશ્નરની બદલીઓ કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતા હોવાથી તેમના સ્થાને આઈબીના વડા અને એસીબીના ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત, તેમજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહનું નામ મોખરે ચાલતું હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય તોમર અને જેલોના વડા ડો. કે.એલ.એન રાવના નામોની ચર્ચાઓ ચાલી રહી છે.  અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે શમશેરસિંહને મુકાય તેવી પ્રબળ શકયતા સેવાઇ રહી છે.