HomePoliticsનવાઝ શરીફ લંડનથી પરત ફરશે પાકિસ્તાન

નવાઝ શરીફ લંડનથી પરત ફરશે પાકિસ્તાન

પાર્ટીના ચૂંટણી પ્રચારની દેખરેખ કરશે નવાઝ શરીફ

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે સામાન્ય ચૂંટણીની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ PML-Nના સુપ્રીમો નવાઝ શરીફ લંડનથી પરત ફરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળના વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના “તમામ પ્રયાસો” છતાં, રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ પંજાબ પ્રાંતમાં 14 મેના રોજ ચૂંટણી યોજાશે નહીં. .ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ જેઓ હાલમાં લંડનમાં છે, તેઓ પાકિસ્તાન પરત ફરશે અને PML-N પાર્ટીના ચૂંટણી પ્રચારની દેખરેખ કરશે. આપને જણાવી દઈએ કે બીમાર નવાઝ નવેમ્બર 2019 થી સારવાર માટે લંડનમાં રહે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments