દેશમાં કોરોનાના કેસોમાં વધારો

0
39

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ ૬૦૫૦ કેસ નોંધાયા છે. આ અગાઉના દિવસે મળી આવેલા નવા કેસ કરતાં લગભગ 13 ટકા વધુ છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ એટલે કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 28,303 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં 195 દિવસ બાદ કોરોનાના 5,335 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 4.46 કરોડથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે જેમાંથી 4.41 કરોડથી વધુ લોકો રીકવર થયા છે ત્યારે 5.30 લાખ લોકોના મોત થયા છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.