શ્વાસ રૂંધાતા એક જ પરિવારના 6 સભ્યોના મોત

0
211

કિસ્સો પ્રકાશમાં આવતા સાવધાની જરૂરી!!!!!

મચ્છર કોઇલનો ઉપયોગ કરનાર લોકો માટે સાવચેતી રાખવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં ગૂંગળામણને કારણે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે બધા એક જ પરિવારના સભ્યો હતા. રાત્રે પરિવારે ઘરમાં મચ્છરની કોઇલ સળગાવી હતી. ત્યારબાદ મચ્છર કોઇલ ગાદલા પર પડી જતાં આગ લાગી હતી અને રૂમમાં ધુમાડાના ગોટેગોટા થઇ ગયા હતા. આ કારણે ગૂંગળામણને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, 2 લોકો દાઝી ગયા છે. ઘરના પહેલા માળે આવેલા એક રૂમમાં પરિવારના તમામ સભ્યો સૂતા હતા. ગૂંગળામણથી મૃત્યુ પામેલા લોકોમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષનો બાળક સામેલ છે. 2 લોકોની સારવાર ચાલી રહી છે.