રાજ્ય સરકાર દ્વારા 3 નવા પ્રકલ્પની શરૂઆત

    0
    210

    રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી 3 નવા પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે.જેમાં જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલસ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ, અને રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવશે.જે અતર્ગત જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલની 50 શાળાઓ શરૂ કરવામાં આવશે.જેમાં 25 શાળાઓમાં 300 વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ ફાળવવામાં આવશે. જ્ઞાન શક્તિ ડે સ્કૂલની દરેક તાલુકા અને કોર્પોરેશન વિસ્તારમાં 400 શાળા શરૂ કરવામાં આવશે જેમાં 28 હજાર વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવશે. રક્ષા શક્તિ સ્કૂલમાં સૈન્ય માં ભરતી થઈ શકે તેવા હેતુ થી શરૂવાત કરવામાં આવશે જેમાં કુલ 700 બાળકો ને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવશે