તોડકાંડ મામલે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર

0
62

ડમી કાંડમાં રૂપિયાના તોડ કરવાની યુવરાજસિંહ ઉપર થયેલી ફરિયાદ બાદ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું. ભાવનગર કોર્ટે યુવરાજસિંહને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે ભાવનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં યુવરાજસિંહને રજુ કરવામાં આવ્યો હતો જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ પહેલાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કોર્ટ પરિસરની બહાર જોવા મળ્યો હતો. સરકારી વકીલે 8 મુદ્દાઓને લઈને દલીલ કરી હતી જેમાં મુખ્યત્વે યુવરાજસિંહનો એક મોબાઈલ ગાયબ છે એ મોબાઈલ ક્યાં છે? યુવરાજસિંહે લીધેલા 1કરોડ રૂપિયા ક્યાં રાખવામાં આવ્યા છે? યુવરાજસિંહે જે વિડીયો બનાવ્યા હતા એ તમામ વિડીયો કઈ જગ્યાએ બનાવ્યા હતા અને અન્ય આરોપીઓનો આમાં શું રોલ છે જેવા 8 મુદ્દાઓને લઈને યુવરાજસિંહના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.