બ્રિજભૂષણસિંહ પર આટલા આરોપો છતાં કેમ કાર્યવાહી નહીં? : પ્રિયંકા

0
43

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ

મહિલા કુશ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણસિંહ પર યોન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે હજુ પણ કોઈ એક્શન લેવાયા નથી. તે વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે એક અહેવાલને ટાંકતા ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે. તેમણે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરતા કહ્યું છે કે, “નરેન્દ્ર મોદીજી આ ગંભીર આરોપો વાંચો અને દેશને જણાવો કે આરોપી સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરાઈ?”  પ્રિયંકા ગાંધીએ એક રીપોર્ટ શેર કર્યો હતો, જેમાં બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ છેડતી અને જાતીય સતામણીના એક બે નહીં પણ 10 કેસનો ઉલ્લેખ કરાયો છે.