મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ શું કરી માંગ ?    

0
194
મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ શું કરી માંગ ?    
મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ શું કરી માંગ ?    

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગે સતત મરાઠાઓ માટે અનામતની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ કહ્યું કે જરાંગે આંદોલન દરમિયાન થયેલી હિંસાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના થવી જોઈએ.

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ આરોપ લગાવ્યો કે ગત સપ્તાહે જિલ્લામાં થયેલી હિંસા એક મોટું કાવતરું હતું. હિંસા પાછળના કાવતરાખોરોની તપાસ અને ઓળખ કરવા માટે SITની રચના કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન બીડના ઘણા વિસ્તારોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. લોકોએ કેટલાક ધારાસભ્યોના ઘરોને પણ આગ લગાવી દીધી હતી.મુંડેએ તે સ્થળોની મુલાકાત લીધી જ્યાં હિંસા થઈ હતી. મુલાકાત પછી પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું, માજલગાંવમાં સોલંકેના નિવાસસ્થાને આગ લગાડવામાં આવી હતી અને જ્યારે ભીડને નિયંત્રિત કરી શકાઈ ન હતી, ત્યારે પોલીસ હેડક્વાર્ટરમાંથી એક દળને આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ તે પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે.

પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું, પોલીસે સોલંકીના નિવાસસ્થાન પર હુમલો કરનારા અને બીડ શહેરમાં થયેલી હિંસામાં સંડોવાયેલા લગભગ 250 થી 300 લોકોની ઓળખ કરી છે. તપાસ સાચા માર્ગ પર હોવા છતાં, તપાસને ઝડપી બનાવવા અને માસ્ટરમાઇન્ડ અને ગુનેગારોને ઓળખવા માટે SIT તપાસ જરૂરી છે. મુંડેએ કહ્યું, તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રીઓને મળશે. આ દરમિયાન બીડ હિંસાની SIT તપાસની માંગ કરશે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ