Welcome_Back_Akash : માયાવતીએ ફરીવાર ભત્રીજાને બનાવ્યો પોતાનો ઉત્તરાધિકારી

0
236
Welcome_Back_Akash :
Welcome_Back_Akash :

Welcome_Back_Akash : ઉત્તરપ્રદેશમાં બસપાની રાજીનીતીમાં ફરી એકવાર વળાંક આવ્યો છે. બસપાના ઉત્તરાધિકારી તરીકે માયાવતીએ ફરીવાર આકાશ આનંદની પસંદગી કરી છે. ફરી એકવાર બસપાના રાષ્ટ્રીય સંયોજક તરીકે આકાશ આનંદની વરણી કરવામાં આવી છે.

Welcome_Back_Akash :

Welcome_Back_Akash :  સોમવારે લખનૌમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માયાવતીએ આ જ પદ આકાશ આનંદને પાછું સોંપ્યું છે. આ અવસર પર માયાવતીએ કહ્યું કે, બસપા આવનારી ચૂંટણીમાં મજબૂતીથી લડતી જોવા મળશે. આ ઉપરાંત તે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. તે એકલા હાથે ચૂંટણી લડશે.

Welcome_Back_Akash : માયાવતીનો ગુસ્સો ઉતર્યા

Welcome_Back_Akash :

Welcome_Back_Akash : બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ સાથેની નારાજગી દૂર થઈ ગઈ છે. હકીકતમાં, BSP વડા માયાવતીએ લોકસભા ચૂંટણીમાં હાર બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. સભામાં ભત્રીજા આકાશે માયાવતીના ચરણ સ્પર્શ કર્યા હતા. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન તેમના એક ભાષણ બાદ માયાવતીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારે માયાવતીએ કહ્યું હતું કે તેમને કોઈ અનુભવ નથી. હવે તેઓએ અનુભવ મેળવવો પડશે

Welcome_Back_Akash : એક દિવસ પહેલા જ સ્ટાર પ્રચારક બનાવ્યા

Welcome_Back_Akash :

Welcome_Back_Akash : બસપા સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાખંડ અને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો સ્ટાર પ્રચારક બનાવ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારને લઈને રવિવારે યોજાનારી સમીક્ષા બેઠક પહેલા તેમના નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સંકેત મળી ગયો હતો કે આકાશ આનંદ સક્રિય રાજકારણમાં પાછા ફરવા જઈ રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો