Home Desh મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

0
454
મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું
મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

મણિપુરમાં હિંસા યથાવત

બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

બોમ્બ પણ ફેંકવામાં આવ્યા

મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસા ફાટી નીકળી છે. જે શાંત થવાનું નામ લઈ રહી નથી. મણિપુર હિંસામાં અનેક નિર્દોષ લોકો જીવ ગમાવી ચુક્યા છે. મંગળવારે પણ મણિપુર હિંસામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.ત્યારે બુધવારે પણ મણિપુરમાં હિંસા જોવા મળી હતી. જેમાં  મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કાંગપોકપીની સરહદ નજીક અજાણ્યા બંદૂકધારીઓએ લોકો પર હુમલો કર્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના સભ્યો હતા.  

કૌટારુક ગામમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંક્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બોમ્બના કારણે ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ વિસ્તારમાં હાજર ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો.

મંગળવારે સવારે, આદિવાસી સમુદાયના ત્રણ લોકોને કાંગપોકપીના ખારમ વાઈફેઈ જિલ્લા નજીક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અઠવાડિયે કૌટારુકમાં ફાયરિંગ દરમિયાન 14 વર્ષની છોકરીને ગોળી વાગી હતી. મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે.મણિપુરના કૌટારુક ગામમાં અજાણ્યા બંદૂકધારીઓએ 10 બોમ્બ ફેંક્યા, હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બોમ્બના કારણે ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

મંગળવારે પણ થયું હતું ફાયરિંગ

રાજ્યના કાંગપોપકી જિલ્લામાં મંગળવારે કુકી જાતિના ત્રણ વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરી દેવાતા ટોળું ઉશ્કેરાયું હતું. ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટના બાદ ફરી એકવખત તણાવનો માહોલ ઊભો થયો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સની ટુકડીને સુરક્ષા હેતું ઊતારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલો કરનારા એક વાહનમાં આવ્યા હતા. પછી ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોપકી જિલ્લામાં આવેલા બોર્ડર એરિયામાં સ્થિત ઈરેંગમાં રહેતા લોકો પર હુમલો કર્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે