Home Main શિવરાજ  સિંહ ચૌહાણે વિપક્ષોની તુલના પ્રાણીયો સાથે કરતા હોબાળો- પટના માં વિપક્ષ...

શિવરાજ  સિંહ ચૌહાણે વિપક્ષોની તુલના પ્રાણીયો સાથે કરતા હોબાળો- પટના માં વિપક્ષ ની બેઠકને લઇને મજાક ઉડાવ્યો

0
547

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પટના માં યોજાયેલ વિપક્ષ ની બેઠક પર કટાક્ષ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે પૂર આવે ત્યારે જે રીતે સાપ,વાંદરા અને દેડકા એક વૃક્ષ પર ચડી જાય છે તેવી જ હાલત વિપક્ષ ની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પટનામાં તમામ વિપક્ષના નેતાઓ એકઠા થયા છે. ત્યાં પણ વિપક્ષ ના નેતાઓની  એકતા નહી પરંતુ તેમનો મુખ્ય મુદ્દો રાહુલ ગાંધીના લગ્ન રહ્યા છે.  ત્યારે પટના માં વિપક્ષ ની બેઠકને લઇને ભાજપના નેતાઓ પ્રહાર કરીરહ્યા છે,

વિપક્ષોની યોજાઈ હતી બેઠક 

શુક્રવારે પટનામાં 15 થી વધુ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક યોજાઈ હતી. મુખ્ય મુદ્દો આગામી વર્ષની લોકસભાની ચૂંટણી ભાજપ સામે સંયુક્ત વ્યૂહરચના સાથે લડવાનો હતો. આ બેઠક બાદ તમામ નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે રાહુલના લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિવરાજે આ પર પણ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે લાલુ યાદવજી બેઠક દરમિયાન કહી રહ્યા છે કે તમારી મમ્મી ઘણી ફરિયાદ કરી રહ્યા છે કે તમે લગ્ન નથી કરી રહ્યા. તું લગ્ન ગોઠવ અને વરરાજા બની જા, જાન લઈને અમે આવીશું. બાકી તે વરરાજા કોણ છે, જાનૈયા કોણ છે તેનું કોઈ ઠેકાણું નથી.

શિવરાજ સિંહ પ્રાણીઓ સાથે કરી સરખામણી 

શિવરાજે વિપક્ષના નેતાઓની સરખામણી પ્રાણીઓ સાથે પણ કરી હતી.તેમણે કહ્યું કે જ્યારે ભારે પૂર આવે છે ત્યારે ઘણા પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી જાય છે. એક જ વૃક્ષ પર તમે જોશો કે દેડકો પણ છે, સાંપ પણ છે અને વાંદરો પણ છે કેમ કે નીચે પુરનું પાણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમર્થન અને લોકપ્રિયતાનું એવું પુર છે કે બધા એક વૃક્ષ પર ચડવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.

કમલનાથે શિવરાજ પર  કર્યો પલટવાર 

મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથે શિવરાજ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શિવરાજજી, આજે ફરી એકવાર તમે રાજકારણમાં શબ્દોની મર્યાદા તોડી છે. તમે વિપક્ષને સાપ, દેડકા અને વાનર કહ્યા. છેલ્લા ઘણા દિવસોથી તમે અપશબ્દો અને હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો. તમારી આ ભાષા અને આ લાગણી લોકોમાં તમારા પ્રત્યે નફરત પેદા કરી રહી છે. જ્યારે તમે અમને સાપ કહો છો, ત્યારે જનતા અમને ભગવાન શિવની માળા માને છે. જ્યારે તમે અમને વાનર કહો છો, ત્યારે જનતા અમને ભગવાન રામની વાનર સેના ગણશે જેણે રાવણના પાપો માટે લંકાનો નાશ કર્યો હતો. તમે ગાળો આપતા રહો પણ અમે સત્ય અને ગૌરવનો માર્ગ નહીં છોડીએ. ભગવાનને પણ પ્રાર્થના કરો કે તમને શાણપણ અને સહિષ્ણુતા આપે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે