Udhayanidhi Stalin: સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન કેસમાં સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી

0
107
Udhayanidhi Stalin: સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન કેસમાં સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી
Udhayanidhi Stalin: સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન કેસમાં સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી

Udhayanidhi Stalin: સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ દયાનિધિ વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. આ મામલામાં તેમના વકીલે સુપ્રીમ કોર્ટને તમામ FIR ની એકસાથે સુનાવણી કરવાની અપીલ કરી છે. જો કે, કોર્ટે સ્ટાલિનને ફટકાર લગાવતા કહ્યું કે, “તમે અભિવ્યક્તિના અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરો છો અને પછી કલમ 32 હેઠળ રક્ષણ માટે સુપ્રીમ કોર્ટમાં આવો છો. સુપ્રીમ કોર્ટે તેમના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે મંત્રી છો. તમારે આવી ટિપ્પણીઓનું પરિણામ જાણવું જોઈએ. આ કેસની સુનાવણી 15 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે.

Supreme Court reprimands Udhayanidhi Stalin in controversial statement on Sanatan Dharma case
Supreme Court reprimands Udhayanidhi Stalin in controversial statement on Sanatan Dharma case

Udhayanidhi Stalin: એવું તો શું કહ્યું કે સર્જાયો સમગ્ર વિવાદ?

તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને વાંધાજનક નિવેદન આપ્યું હતું. હકીકતમાં, સપ્ટેમ્બર 2023માં તમિલનાડુમાં ‘સંથાનમ એલિમિનેશન કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.

આ કોન્ફરન્સ સંબંધિત એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે કહેતા સાંભળી શકાય છે કે કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે નાબૂદ કરવી પડશે અને આપણે માત્ર વિરોધ કરી શકીએ નહીં. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી, આપણે તેનો નાશ કરવો પડશે અને સનાતન ધર્મ પણ એવો જ છે. આપણું પ્રથમ કાર્ય સનાતનમને ખતમ કરવાનું હોવું જોઈએ અને તેનો વિરોધ ન કરવો જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.