HomeDelhiતિહાર જેલ :  છેતરપિંડીથી ભરતી કરાયેલા 50 કર્મચારીઓ સસ્પેન્ડ, બાયોમેટ્રિક પદ્ધતિથી થઇ...

તિહાર જેલ :  છેતરપિંડીથી ભરતી કરાયેલા 50 કર્મચારીઓ સસ્પેન્ડ, બાયોમેટ્રિક પદ્ધતિથી થઇ હતી ભરતી

દિલ્હી : તિહાર જેલ માં છેતરપિંડીથી ભરતી કરાયેલા 50 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 માં, દિલ્હી સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSB) દ્વારા તિહારમાં વિવિધ પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવી હતી. આ ભરતીઓ બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવી હતી.

તિહાર જેલ
તિહાર જેલ

ભરતી પછી, જ્યારે દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડે વેરિફિકેશન કર્યું ત્યારે 50 કર્મચારીઓના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ એકબીજા સાથે મેળ ખાતા નહોતા. 30 નવેમ્બરે આ તમામ કર્મચારીઓને એક મહિનાની નોટિસ (નોટિસ ઓફ સર્વિસ ઓફ ટર્મિનેશન) આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તિહાર જેલમાંથી સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં 39 વોર્ડન, 9 આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અને 2 મેટ્રોનનો સમાવેશ થાય છે. DSSSBનો અંતિમ અહેવાલ જાહેર થયા બાદ હવે તિહાર જેલમાં વિવિધ પદો પર છેતરપિંડીથી ભરતી કરાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 માં, દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) દ્વારા તિહારમાં વિવિધ પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવી હતી. આ ભરતી બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવી હતી. જો કે, DSSB દ્વારા હાથ ધરવામાં આવેલી અનુગામી ચકાસણી પ્રક્રિયા દરમિયાન, જાણવા મળ્યું હતું કે 50 કર્મચારીઓના બાયોમેટ્રિક્સ અને ફોટા મેળ ખાતા નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments