સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
છેતપિંડીથી ધર્માંતરણને રોકવા માટે કરવામાં આવી હતી માંગ
અરજી અંગે સુપ્રીમ કોર્ટે વ્યકત કરી નારાજગી
સુપ્રીમ કોર્ટે છેતપિંડીથી ધર્માંતરણને રોકવા માટે પગલાં લેવાની માંગ કરતી PILને ફગાવી દીધી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારને આ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપવામાં આવે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે શા માટે કોર્ટે આ મામલામાં પ્રવેશ કરવો જોઈએ? કોર્ટ સરકારને આદેશની રિટ કેવી રીતે આપી શકે? તમને જણાવી દઈએ કે, પીઆઈએલ કર્ણાટકના જેરોમ એન્ટો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
જેરોમ એન્ટો તરફથી હાજર થયેલા વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે હિંદુઓ અને સગીરોને છેતરપિંડી દ્વારા ટાર્ગેટ કરીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે.બેંચે કહ્યું કે આ કેવા પ્રકારની પીઆઈએલ છે? પીઆઈએલ એક સાધન બની ગયું છે અને દરેક વ્યક્તિ આવી અરજીઓ લઈને આવે છે.અરજદારના વકીલે પૂછ્યું કે આવી ફરિયાદ સાથે ક્યાં જવું. તેના પર બેન્ચે કહ્યું કે અમે સલાહકાર અધિકારક્ષેત્રમાં નથી. જો આવો કોઈ કેસ તાજેતરમાં આવ્યો હોય અથવા કોઈની સામે કાર્યવાહી થઈ હોય તો અમે તેના પર વિચાર કરી શકીએ છીએ. આ પછી, સર્વોચ્ચ અદાલતની બેન્ચે પીઆઈએલને ફગાવી દીધી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ કેવા પ્રકારની પીઆઈએલ છે? દરેક વ્યક્તિ આવી અરજીઓ લઈને આવે છે
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ