આ ફિલ્મ શુક્રવારે રિલીજ થશે
બહુ ચર્ચિત ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર રોક લગાવવાનો આજે ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોઈ મેદાન નથી કે જેને ઈચ્છા થાય તે અહી આવીને અરજી કરે છે.
અરજીકર્તાઓને પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ સાથે અને વધુમાં જણાવ્યું કે આ ફિલ્મને રિલીજ કરવાનું સર્ટીફીકેટ મળી ચુક્યું છે. અને રિલીજ થવાના દિવસો પણ ખુબ નજીક છે
અહી ઉલ્લેખનીય છેકે આ ફિલ્મ શુક્રવારે રિલીજ થઇ રહી છે જેમાં બતાવવામાં આવ્યું છેકે ૩૨૦૦૦ મહિલાઓ ધર્મપરિવર્તન કરીને ઇસ્લામિક સ્ટેટની સભ્ય બંને છે .
આ ફિલ્મમાં ટ્રેલર બહાર આવતાજ વિવાદ થયો હતો. અને વિરોધના સુર ઉઠ્યા હતા. સાથે જ શશી થરૂરે પણ જણાવ્યું હતુકે આ અમારું કેરળ નથી . અને કહ્યું કે અ એક સુનિયોજિત એજન્ડા છે અને સંઘ તેમાં સામેલ છે.
લઘુમતી જૂથો પર શંકા કરીને દેશમાં તંગદીલી ફેલાય તે શંકા છે. આ ફિલ્મ ને લઈને દેશભરમાં અત્યારે રોષ જોવા ,મળી રહ્યો છે ખાસ કરીને કેરળમાં અનેક જૂથો ફિલ્મનું પોસ્ટર ફાડીને અને સળગાવીને વિરોધ કરી રહ્યા છે.
વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.