Home State Gujarat Surat Fire Tragedy:સુરતના કાપોદ્રામાં ભયાનક દુર્ઘટના: એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ બાદ ૩ ગેસ...

Surat Fire Tragedy:સુરતના કાપોદ્રામાં ભયાનક દુર્ઘટના: એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ બાદ ૩ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ૨ના મોત અને ૧૧ ઈજાગ્રસ્ત

0
249
Surat Fire Tragedy
Surat Fire Tragedy

Surat Fire Tragedy:ડાયમંડ સિટી સુરતમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક એમ્બ્રોઈડરીના કારખાનામાં ભીષણ આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરના વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૧ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Surat Fire Tragedy:વહેલી સવારે સર્જાયો કાળો કેર

Surat Fire Tragedy

આજે ૧૯ માર્ચની વહેલી સવારે અંદાજે ૦૫:૩૦ વાગ્યે કાપોદ્રા રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળી હતી. G+3 (ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળ)ની આ ઇમારતમાં આગ લાગતા જ અંદર કામ કરી રહેલા મજૂરો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રહેલા LPG સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Surat Fire Tragedy:પતરા તોડીને ૧૧ કામદારોનું દિલધડક રેસ્ક્યૂ

Surat Fire Tragedy

આગ ત્રીજા માળે ફેલાઈ હોવાથી અનેક કામદારો ત્યાં પતરાના શેડમાં ફસાયા હતા. સુરત ફાયર વિભાગની ચાર સ્ટેશનની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળના પતરા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. જીવના જોખમે ફાયરના જવાનોએ કુલ ૧૧ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Surat Fire Tragedy:જાનહાનિ અને ઈજાની વિગતો

Surat Fire Tragedy
  • મોત: રેસ્ક્યૂ કરાયેલા અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખસેડાયેલા લોકોમાંથી ૨ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે.
  • ઈજાગ્રસ્ત: કુલ ૧૧ લોકો ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
  • સિલિન્ડર: ઘટનાસ્થળેથી કુલ ૮ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી ૨ ફાટ્યા હતા અને બાકીના ૬ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

અમે પહોંચ્યા ત્યારે સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ ખૂબ જ ભીષણ હતી. પતરા તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. હાલ આગ કાબૂમાં છે પણ સાવચેતીના ભાગરૂપે ટીમો તૈનાત છે.” – રણજીતસિંહ ખડિયા, ડિવિઝનલ ફાયર ઓફિસર

પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હવે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો :માવઠાની માર અને પવનનો ફફડાટ: ગુજરાતમાં ૪૦ કિમીની ઝડપે ફૂંકાયા પવન, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે