“તમે આગ સાથે રમી રહ્યા છો”: પંજાબ સરકાર સાથેની તકરાર પર સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને ટકોર કરી

    0
    517
    Punjab Government Vs Governor Case
    Punjab Government Vs Governor Case

    Punjab Government Vs Governor Case: પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની મડાગાંઠ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પંજાબમાં જે થઈ રહ્યું છે તેનાથી અમે ખુશ નથી, તે ગંભીર ચિંતાનો વિષય છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ (Punjab) ના રાજ્યપાલ પર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

    “તમે આગ સાથે રમી રહ્યા છો. આપણો દેશ સ્થાપિત પરંપરાઓ પર ચાલી રહ્યો છે અને તેનું પાલન કરવું જોઈએ.”

    સુપ્રીમ કોર્ટ

    સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકાર (Punjab Government) તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, વર્તમાન રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન વિધાનસભાનું સત્ર બોલાવવું લગભગ અશક્ય છે.

    ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે પંજાબના રાજ્યપાલ (Governor of Punjab) ના વકીલને પૂછ્યું કે, જો વિધાનસભાના સત્રને ગેરકાયદે જાહેર કરવામાં આવે તો પણ ગૃહ દ્વારા પસાર કરાયેલું બિલ ગેરકાયદે કેવી રીતે બનશે.?

    Punjab Government Vs Governor Case2 1

    સુપ્રીમ કોર્ટમાં થયેલી ચર્ચાના અંશ…

    • શું રાજ્યપાલને સહેજ પણ ખ્યાલ છે કે તેઓ આગ સાથે રમી રહ્યા છે..?
    • જો રાજ્યપાલને લાગે છે કે બિલ ખોટી રીતે પસાર થયું છે, તો પણ તેમણે તેને વિધાનસભાના અધ્યક્ષને પાછું મોકલવું જોઈએ.
    • જો રાજ્યપાલ આ રીતે બિલને ગેરકાયદેસર જાહેર કરતા રહેશે તો શું દેશ સંસદીય લોકશાહી તરીકે ટકી શકશે..?
    • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે, પરંતુ પંજાબની સ્થિતિને જોતા એવું લાગે છે કે સરકાર અને તેમની વચ્ચે મતનો મોટો તફાવત છે, જે લોકશાહી માટે સારું નથી.
    • સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના વકીલને પૂછ્યું કે, તમે બિલને અનિશ્ચિત સમય સુધી રાખી શકતા નથી ?
    • સિંઘવીએ પંજાબ સરકાર વતી કહ્યું કે, રાજ્યપાલ બિલને રોકવાના બહાને બદલો લઈ રહ્યા છે.
    • ચીફ જસ્ટિસે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આખરે બંધારણમાં એવું લખેલું છે કે રાજ્યપાલ સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલા વિધાનસભા સત્રને ગેરકાયદેસર જાહેર કરી શકે છે.
    • ચીફ જસ્ટિસે કહ્યું કે મારી સામે રાજ્યપાલે લખેલા બે પત્રો છે, જેમાં તેમણે સરકારને કહ્યું છે કે વિધાનસભાનું સત્ર જ માન્ય હોવાથી તે બિલને પોતાની મંજૂરી આપી શકે નહીં.
    • રાજ્યપાલે કહ્યું કે તેઓ આ વિવાદ પર કાયદાકીય સલાહ લઈ રહ્યા છે, અમારે માત્ર કાયદાનું પાલન કરવું પડશે.
    • સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે રાજ્યપાલનો પત્ર અંતિમ નિર્ણય ન હોઈ શકે. કેન્દ્ર સરકાર આ વિવાદનો ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે.
    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે