બિહાર હિંસા અંગે જોવો શું બોલ્યા મુખ્યમંત્રી નીતિશ કુમાર

0
41
આ એક પૂર્વયોજિત કાવતરું : CM નીતિશ કુમાર 
ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે : CM નીતિશ કુમાર
મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં થયેલી કોમી હિંસાને લઈને સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે, બિહારના નાલંદા અને સાસારામમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ મુદ્દે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું છે કે, “આ ખૂબ જ દુઃખદ છે. ઘટનાની જાણ થતા જ સતર્કતા દાખવીને ઝડપથી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ એક પૂર્વયોજિત કાવતરું છે.” તેમણે વધુમાં જણાવ્યું છે કે, “જો કોઈ કેન્દ્રીય મંત્રી બિહાર આવે છે, તો તેને સુરક્ષા આપવામાં આવે છે. રાજ્ય સરકાર પોતાની જવાબદારી નિભાવે છે. અમે આ બાબતોનું ધ્યાન રાખીએ છીએ, તેઓ કાળજી લેતા નથી, તે અલગ બાબત છે.”
kumar

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.