Sabarmati Central Jail’s Security Exposed: રાજ્યની સૌથી હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલના મેન ગેટમાંથી જ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને ફરાર થઈ જતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે.

Sabarmati Central Jail’s Security Exposed: ઘટનાની મુખ્ય વિગતો:

- કેવી રીતે ખુલી પોલ: જેલર દેવદત્તસિંહ ગોહિલની ફરિયાદ મુજબ, ‘બડા ચક્કર’ યાર્ડ નંબર-4માં 33 કેદીઓમાંથી ગણતરી વખતે એક કેદી ઓછો જણાતા તપાસ શરૂ કરાઈ હતી.
- CCTVમાં કેદ થયો કેદી: જેલના સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું કે માલદે પરમાર જેલ સ્ટાફની નજર ચૂકવીને સીધો મેન ગેટથી જ બહાર નીકળી ગયો હતો.
- ગુનાહિત ઇતિહાસ: માલદે પરમાર વિરુદ્ધ 2023માં પોરબંદરમાં હત્યા અને પોક્સોનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2025માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તબિયતના કારણોસર તેને રાજકોટથી સાબરમતી જેલમાં ખસેડાયો હતો.
Sabarmati Central Jail’s Security Exposed: સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

જે જેલની સુરક્ષા માટે કરોડોનો ખર્ચ થાય છે અને જ્યાં અભેદ કિલ્લા જેવી સુરક્ષા હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાંથી એક ખતરનાક કેદી આરામથી મુખ્ય દરવાજેથી ભાગી જાય તે સ્ટાફની ઘોર બેદરકારી સૂચવે છે. છેલ્લા 6 મહિનામાં જેલમાં કેદીઓ વચ્ચે મારામારી અને હુમલાની ઘટનાઓ બાદ હવે કેદીના ભાગી જવાથી જેલ તંત્રની આબરૂના લીરેલીરા ઉડ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વલસાડ; દારૂડિયા પુત્રના ત્રાસથી લાચાર પિતાની કલેક્ટર પાસે ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ, કંપાવી દે તેવી ઘટના




