RSS Chief Mohan Bhagwat in Canada: રાષ્ટ્રીય સ્વયંસંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે કેનેડાના ટોરોન્ટો ખાતે યોજાયેલા ‘હિંદુ વિશ્વ બંધુ’ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને વૈશ્વિક માનવતા અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં અન્ય દેશો અને જરૂરિયાતમંદોની સહાય કરવી એ સનાતન ભારતની પ્રાચીન પરંપરા રહી છે.
સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે વિશ્વમાં જ્યારે પણ ક્યાંય સંકટ સર્જાયું છે અને ભારતે મદદની અપેક્ષા રાખવામાં આવી છે, ત્યારે દેશે ક્યારેય પીછેહઠ કરી નથી. અનેક પ્રસંગોએ તો માંગ્યા વગર પણ ભારતે માનવતાના ધોરણે અન્ય દેશોને સહાયતા પહોંચાડી છે.
RSS Chief Mohan Bhagwat in Canada: વિવિધતા એ એકતાની વિરુદ્ધ નહીં, પણ સુંદરતા છે

મોહન ભાગવતે ભારતની સામાજિક રચના વિશે વાત કરતા કહ્યું કે આપણા દેશમાં અનેક જાતિઓ, પંથો, ભાષાઓ અને સંસ્કૃતિઓ મોજુદ છે, પરંતુ આ તમામ વિવિધતાઓ એક જ સમાજનો અભિન્ન અંગ છે. ભારતમાં વિવિધતા ક્યારેય એકતાની વિરુદ્ધ રહી નથી, પરંતુ તે દેશની અસલી સુંદરતા છે. તેમણે આ વિવિધતાને સ્વીકારવા અને તેનું સન્માન કરવા પર ભાર મૂક્યો હતો.
RSS Chief Mohan Bhagwat in Canada:’આ મારું, પેલું તમારું’ ની વિચારસરણીથી ઉપર ઉઠવું પડશે
વધુમાં તેમણે જણાવ્યું કે માનવીએ ‘આ મારું છે અને પેલું તમારું છે’ જેવી સંકુચિત વિચારસરણીથી ઉપર ઉઠવાની જરૂર છે. પ્રકૃતિમાં ભલે અલગ-અલગ રૂપ અને ઓળખ હોય, પરંતુ દરેક જીવમાં એક જ દિવ્યતા રહેલી છે. તેથી, બીજાને પરાયા કે અલગ માનવાને બદલે ભાઈચારા અને નિઃસ્વાર્થ સેવાની ભાવના અપનાવવી જોઈએ.
હિંદુ સંસ્કૃતિના સર્વસમાવેશક સ્વભાવ વિશે વાત કરતા ભાગવતે કહ્યું કે હિંદુ ધર્મ હંમેશાં બધાનો સ્વીકાર અને સન્માન કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં જ્યારે પણ કોઈના પર અત્યાચાર થયા અને શરણ માંગવામાં આવી, ત્યારે ભારતે હંમેશાં પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારતમાં મુસ્લિમ, ઈસાઈ, યહૂદી અને પારસી સહિતના તમામ સમુદાયો શાંતિથી રહે છે.
RSS Chief Mohan Bhagwat in Canada: કાર્યક્રમમાં ભવ્ય ઉપસ્થિતિ
ટોરોન્ટો ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ‘કેનેડિયન હિંદુઝ ફોર આઉટરીચ, રિલેશન્સ એન્ડ ડાયલોગ’ (CHORD) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેનેડાના ૮ અલગ-અલગ પ્રાંતોમાંથી ૨,૫૦0થી વધુ લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ અવસરે કેનેડાના પૂર્વ સંરક્ષણ મંત્રી અને આલ્બર્ટાના પૂર્વ પ્રીમિયર જેસન કેની પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત હાલ ૧૭ દિવસના વિદેશ પ્રવાસે છે, જેમાં અમેરિકા અને કેનેડા બાદ બ્રિટનનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો :13 વર્ષની સેવા બાદ IAS અધિકારીએ છોડ્યું પદ, અખિલેશ યાદવે સરકારની કાર્યપ્રણાલી પર ઉઠાવ્યા સવાલો

