Reels Banned Inside Char Dham Temples:ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામની પવિત્રતા, શાંતિ અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા રીલ કલ્ચર, સોશિયલ મીડિયા બ્લોગિંગ અને બેજવાબદાર વીડિયોગ્રાફી પર લગામ કસવાનો છે.
Reels Banned Inside Char Dham Temples:મંદિરની અંદર રીલ બનાવવાથી પવિત્રતા ખોરવાતી

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ફરિયાદો વધતી ગઈ હતી કે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરતાં વધુ સમય મંદિરની અંદર ફોટા, વીડિયો અને રીલ બનાવવા પાછળ વિતાવે છે.
આથી મંદિરની ગરિમા અને ભક્તિમય વાતાવરણને તો નુકસાન થાય જ છે, પરંતુ દર્શન માટે લાંબી લાઈનમાં ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ ભારે તકલીફ પડે છે. ભીડ નિયંત્રણમાં પણ મુશ્કેલી ઊભી થાય છે અને વિવાદની શક્યતા વધી જાય છે.
Reels Banned Inside Char Dham Temples:મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ

નવા નિયમ મુજબ,
- બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ
- કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના મંદિર પરિસરમાં
મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે.
મોબાઈલ સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
બદ્રીનાથ–કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા શ્રદ્ધાળુઓના મોબાઈલ અને કેમેરા સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે, મંદિરની બહાર જવાબદારીપૂર્વક અને અન્ય કોઈને ખલેલ ન પડે તે રીતે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે, તેવી સ્પષ્ટતા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ચારધામ યાત્રાની તડામાર તૈયારીઓ
આ વર્ષે પણ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. જેમાં
- 60 ટકા ઓનલાઇન
- 40 ટકા ઓફલાઇન
રજિસ્ટ્રેશન પદ્ધતિ અમલમાં રહેશે. ગત વર્ષે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા. આ સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય સેવાઓ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
👉 વહીવટી તંત્રનું મુખ્ય લક્ષ્ય એ છે કે શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સંપૂર્ણ ભક્તિમય વાતાવરણમાં ચારધામના દર્શન કરી શકે.




