Ranveer Singh in Trouble: રણવીર સિંહને જાનથી મારી નાખવાની ધમકી, કરોડોની ખંડણીની માંગણી: મુંબઈ પોલીસે સઘન સુરક્ષા ગોઠવી, ‘કાંતારા’ વિવાદમાં FIR પણ દાખલ

0
123
Ranveer Singh in Trouble
Ranveer Singh in Trouble

Ranveer Singh in Trouble:બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંહને મંગળવારે વોટ્સએપ પર વોઇસ નોટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં ધમકી આપનાર શખ્સે કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરી છે. આ ઘટનાએ બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો છે. મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા રણવીર સિંહના બાંદ્રા સ્થિત ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

Ranveer Singh in Trouble

Ranveer Singh in Trouble: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ સાથે કનેક્શનની તપાસ

આ ધમકીની ઘટના ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહાર 31 જાન્યુઆરીએ થયેલા પાંચ રાઉન્ડ ફાયરિંગની ઘટનાના પગલે આવી છે, જેના કારણે પોલીસ વધુ સજાગ બની છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે.

  • ખંડણીની વોઈસ નોટ: પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીએ પોતાને ગુનાહિત ગેંગ સાથે સંકળાયેલો ગણાવી, મોટી રકમ ન આપવા પર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે.
  • ફોરેન્સિક તપાસ: વોઈસ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે અને સાયબર સેલ તેમજ ક્રાઈમ બ્રાન્ચ આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં લાગી છે.
  • લોરેન્સ ગેંગ કનેક્શન: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગનું કનેક્શન સામે આવ્યું છે અને પોલીસે એક આરોપી આસારામ ફસાલેની ધરપકડ પણ કરી છે.
Ranveer Singh in Trouble

Ranveer Singh in Trouble: ‘કાંતારા’ વિવાદમાં રણવીર સિંહ વિરુદ્ધ FIR

એક તરફ ધમકીની ઘટના બની છે, ત્યારે બીજી તરફ રણવીર સિંહ એક જૂના વિવાદમાં પણ ફસાયા છે. ‘કાંતારા’ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ધાર્મિક પરંપરાઓ અને દેવી-દેવતાઓની મજાક ઉડાવવાના આરોપમાં બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

Ranveer Singh in Trouble
  • શું હતો વિવાદ? ગોવામાં યોજાયેલા IFFI (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા) માં રણવીર સિંહે ‘કાંતારા’ની ચાવુંડી દેવીની મિમિક્રી કરી હતી અને તેમને ‘ફીમેલ ઘોસ્ટ (ભૂત)’ કહ્યા હતા, જેનાથી હિંદુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આરોપ છે.
  • માફી માગી છતાં ફરિયાદ: અગાઉ પણ પણજીમાં આ અંગે ફરિયાદ નોંધાતા રણવીર સિંહે સાર્વજનિક રીતે માફી માગી હતી, છતાં બેંગલુરુમાં આ FIR દાખલ થઈ છે.
  • 8 એપ્રિલે સુનાવણી: આ મામલો બેંગલુરુની પ્રથમ વધારાની મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (CMM) કોર્ટને મોકલવામાં આવ્યો છે અને 8 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

High Drama in Parliament: લોકસભામાં રાજકીય ભૂકંપ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, સ્પીકરે ગૃહમાં ન જવાનો લીધો નિર્ણય