Rann Utsav 2025-26:કચ્છમાં રણોત્સવ 2025-26નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે ₹179 કરોડના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત

0
83
Rann Utsav
Rann Utsav

Rann Utsav 2025-26:કચ્છના ધોરડો સફેદ રણ ખાતે આજે રણોત્સવ–2025/26નો ભવ્ય પ્રારંભ થયો. ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્સવનું ઉદઘાટન કરી લખપત, તેરા અને ધોરડો ખાતે પ્રવાસનને વેગ આપવા કુલ ₹179 કરોડના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું.

Rann Utsav 2025-26

મુખ્‍યમંત્રીશ્રીએ ઊંટગાડીની સફર સાથે સફેદ રણના અલૌકિક સૌંદર્યનો આનંદ માણતા “એકત્વ–એક દેશ, એક ગીત, એક ભાવના” થીમ હેઠળના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, કચ્છની કળા અને ગુજરાતની પરંપરાનું સુંદર સંકલન દર્શાવતી રજૂઆતો નિહાળી.

Rann Utsav 2025-26: “સફેદ રણનું સૌંદર્ય વિશ્વને આકર્ષે છે” — CM ભુપેન્દ્ર પટેલ

મુખ્‍યમંત્રીએ જણાવ્યું કે માગશર પૂર્ણિમાની ચાંદનીમાં રણનું દૃશ્ય અલૌકિક બની જાય છે.

તેમણે ઉમેર્યું કે દુનિયામાં ‘રણ’ શબ્દ સુકું વિસ્તાર યાદ અપાવે છે, પરંતુ ગુજરાતમાં ‘રણ’ એટલે રણોત્સવ, જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું પ્રતિક છે.

મુખ્‍યમંત્રીએ રણોત્સવની કલ્પના અને વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો.
PM મોદીએ રચેલા “ધોરડો મોડલ”ને આજે યુનાઇટેડ નેશન્સની World Tourism Organization દ્વારા Best Tourism Village Award પ્રાપ્ત થયો છે, જે ગુજરાતના પ્રવાસન વિકાસની મોટી સિદ્ધિ છે.

Rann Utsav 2025-26

 રણોત્સવ: પ્રવાસન, સંસ્કૃતિ અને આર્થિક વિકાસનું કેન્દ્ર

રણોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ—
✔️ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણનું માધ્યમ
✔️ કચ્છની હસ્તકલા અને કુશળ કલાકારોને વૈશ્વિક બજાર
✔️ સ્થાનિક રોજગારીનું સર્જન
✔️ કચ્છના પ્રવાસન ઉદ્યોગમાં ઉત્સાહજનક વૃદ્ધિ

ગત વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વેગ

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્યું કે PM મોદીના વિઝન હેઠળ—
• કચ્છમાં કેનાલ અને પાઇપલાઇન વડે નર્મદા નુ પાણી પહોંચાડાયું
• ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી મજબૂત થઈ
• રણ સુધી ઉત્તમ રસ્તાઓ અને સુવિધાઓનું નેટવર્ક ઉભું થયું

જેના કારણે આજે કચ્છ વૈશ્વિક પ્રવાસન નકશા પર તેજસ્વી બની રહ્યું છે.

Rann Utsav 2025-26

 Rann Utsav 2025-26:સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ

મુખ્‍યમંત્રીએ ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ‘એક ભારત’ના વિઝનને સમર્પિત સરદાર સ્મૃતિવનનું પણ લોકાર્પણ કર્યું.
રણના સૂર્યાસ્તના મનોહર નજારાઓ વચ્ચે આ કાર્યક્રમને લોકોએ ઊંડે સુધી માણ્યો.

કાર્યક્રમમાં ઉપસ્થિતિ

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર આનંદ પટેલ, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, GTDC MD પ્રભવ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Crime Rate Increase: ગુજરાતની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો ઉછાળો