Ramadan: પવિત્ર મહિનો રમઝાન, જેની ફઝીલત છે બે-હિસાબ

0
125
Mahe Ramadan
Mahe Ramadan

Ramadan: પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન 9મો મહિનો છે. અલ્લાહની ઉપાસના માટે આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો ઉપવાસ કર્યા પછી મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે.

પવિત્ર રમઝાન માસને કોણ નથી જાણતુ ઇસ્લામી સાલનો નવમો મહીનો એટલે રમઝાનુલ મુબારક, જે લોકોની સમક્ષ એક મહીના માટે આવે છે અને તેની રહેમતો બરકતો સમગ્ર વિશ્વમાં પ્રસરાવી દે છે. જે લોકો પવિત્ર રમઝાન (Ramadan) માસને જાણતા છે. તેઓ આ મહીનાની બરકતો, રહેમતો, નેઅમતો અને મગફિરતો ખોબે-ખોબે ભરીને લૂંટે છે.

ઇસ્લામી મહીનાઓમાં રમઝાન મહીનો ખાસ ઇબાદત (પૂજા અર્ચના)નો મહીનો ગણાય છે. રમઝાનમાં મુસ્લિમ બિરાદર રોઝા રાખે છે. રમઝાન મહીનામાં રોઝા રાખવા એ મુસ્લિમ ઉપર ફરઝ ઇબાદતમાં શામેલ છે.

Mahe Ramadan
Mahe Ramadan

Ramadan: ઇસ્લામ ધર્મમાં પાંચ સ્તંભ

ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ.. આ પાંચ રૂકનમા એક રૂકન (સ્તંભ) તરીકે રમઝાન (Ramadan) માસના પૂરા રોઝા રાખવા.

અહીં એક વાત વિચારવા જેવી છે કે રોઝા રાખવા ઉપર એટલો ભાર કેમ આપવામાં આવ્યો છે, કે રોઝાને ફરજ ઇબાદત કરી દીધી ચાલો આજે આપણે સમજીએ કે રોઝા એટલે શું ? આમતો સામાન્ય રીતે બધા જ જાણતા છે કે ભૂખ્યા તરસ્યા રહેવું એને રોઝો કહેવાય પરંતુ ફકત ખાવા-પીવા વગર રહેવું એ કોઇ રોઝા ના ગણાય.

ખરેખર તો રોઝા એટલે –

“પોતાની જાતને ઇચ્છાઓથી રોકવું” એનું નામ રોઝા…

હવે પ્રશ્ન એ થાય છે કે શું રોકવું જાેઇએ અને શેનાથી રોકાવું જાેઇએ. સૌથી પહેલા તો આપણે જાણતા જ છીએ કે રોઝાની હાલતમાં જે ખાવાની ઇચ્છા થાય તો ખાઇ નથી શકતા અને પીવાની ઇચ્છા થાય તો પી નહી શકતા.. પરંતુ ફકત ખાવા-પીવાની ઇચ્છાથી રોકાઇ જવું એ રોઝો નથી રમઝાન માસના રોઝા આપણને પ્રેક્ટીસ કરાવા આવે છે કે કેવી રીતે આપણે આપણી ઇચ્છાઓ પર કાબૂ મેળવવો.

Mahe Ramadan
Mahe Ramadan

રોઝા અલ્લાહથી નીકટ થવામાં મદદરૂપ થાય છે. રોઝાની હાલતમાં રોઝદારે જે ખાસ વાતો પર ધ્યાન રાખવાનું હોય છે તેમાં ખાસ તો એ કે પોતાની જીભથી કોઇને પણ નુકસાન ન પહોંચાડે, હાથથી કોઇ પણ ખોટો કામ ન કરે, પગથી ચાલીને એવી જગ્યાઓ ઉપર ન જવું, જ્યાં ગુન્હાખોરીના કામો થતા હોય, આંખોથી એવી વસ્તુઓ ન જુએ કે જેના જાેવાથી તમારા દિલો દિમાગમાં વાસના ઉદ્‌ભવે વગેરે.. આપણે ખરેખર રોઝાની હકકીતને સમજીએ તો આપણને ખબર પડે કે રોઝા એ બધી જ પ્રકારની બુરાઇઓથી રોકી રાખે છે.

રોઝા રાખીને જ બીજાની ભૂખ અને પ્યાસનું એહસાસ થાય છે. રોઝા રાખવાથી તમે પોતાની જાતને તમામ પ્રકારની બુરાઇઓથી દૂર રાખી શકો છો. રોઝા રાખવું એક છુપી ઇબાદત (પ્રાર્થના) છે જે ફકત રાખવાવાળા અને ઇશ્વરને જ ખબર હોય છે કે આપણે રોઝાથી છીએ. રોઝા રાખવાથી ફકત શરીર જ નહી પણ આત્માની પણ શુદ્ધિ થાય છે. ખરેખર તો રોઝા એક એવી ઇબાદત છે જે તમને બહારથી અને અંદરથી મજબુત બનાવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો