Home State Gujarat Rajkot Tragedy: રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 યુવકો આવ્યા, 2નાં મોત,...

Rajkot Tragedy: રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 યુવકો આવ્યા, 2નાં મોત, 1 ગંભીર

0
344
Rajkot Tragedy
Rajkot Tragedy

Rajkot Tragedy: રાજકોટમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે ત્રણ યુવકો આવી જતા બે યુવકોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ગમખ્વાર ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, આજે 2 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વંદે ભારત ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર તેજ ગતિએ પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ત્રણ યુવકો ટ્રેક પાસે આવી ગયા અને ટ્રેનની અડફેટે આવી ચડ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવી પડી હતી.

આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે ત્રીજો યુવક હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

Rajkot Tragedy

Rajkot Tragedy: મૃતકો અને ઈજાગ્રસ્ત

મૃતકો:
• સંદીપભાઈ (ઉંમર 23) – સારવાર દરમિયાન મોત
• એક યુવક – ઘટનાસ્થળે મોત

ઈજાગ્રસ્ત:
• કપિલભાઈ પટેલ (ઉંમર 19) – ગંભીર હાલતમાં સારવાર ચાલુ

Rajkot Tragedy: રીલ અને સેલ્ફી લેતી વખતે અકસ્માતની આશંકા

પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય પરપ્રાંતીય યુવકો કારખાનામાં મજૂરી કામ કરતા હતા. ટ્રેન આવતી હોય તેવી રીલ કે સેલ્ફી બનાવવાની કોશિશ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી.

108 અને પોલીસ દોડી ગઈ ઘટનાસ્થળે

Rajkot Tragedy

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાજકોટ 108ના અધિકારી કીર્તનભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એક યુવકને ત્યાં જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે બે ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયું છે.

અકસ્માત કે આત્મહત્યાનો પ્રયાસ? તપાસ શરૂ

આ ઘટનાને લઈને રાજકોટ RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના DSC દ્વારા ગંભીર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ ઘટના માત્ર અકસ્માત છે કે પછી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ. ઘટનાસ્થળે પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Bhavnagar news:સિંહણને કચડનાર આરોપી જેલહવાલે: પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે