રાહુલ ગાંધી ઉપર ગુરુવારે આવી શકે છે ફેંસલો

0
48

રાહુલ ગાંધી માટે ગુરુવારનો દિવસ મહત્વનો સાબિત થઇ શકે છે, રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મળેલ સજા ઉપર ફેસલો આવી શકે છે, બે વરસના તેમના સજા ઉપર 13મી એપ્રિલે ફરીયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે લંબાણ પુર્વક દલીલો થઇ હતી, તમને જણાવી દઇએ કે સુરતની નિચલી અદાલતે રાહુલગાંધીને માનહાનીના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી, જેના ઉપર સ્ટે માગંતી અરજી તેઓએ ઉપલી કોર્ટમાં કરી હતી,  ત્યારે જોવાનું એ છે કે રાહુલ ગાંધીની અરજી કોર્ટ સ્વિકારે અને સજા ઉપર સ્ટે આપે તો  રાહુલ ગાંધીનુ સાંસદ તરીકે સસ્પેન્ડ થયેલ સભ્ય પદ પરત મળી શકે છે, જેથી હવે આ ચુકાદા ઉપર સૌ કોઇની નજર છે,