રાહુલે કોંગ્રેસ છોડી દેનારા નેતાઓ પર પણ નિશાન સાધ્યું

0
38

કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અદાણીના મુદ્દે હજુ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. અદાણીની બેનામી કંપનીઝમાં 20 હજાર કરોડના રોકાણના પ્રશ્ન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, “અદાણીની કંપનીઝમાં કથિત બેનામી પૈસા કોના છે?” આ સાથે તેમણે પોતાના ટ્વીટમાં કોંગ્રેસ છોડનારા નેતાઓ ગુલામ નબી આઝાદ, સિંધિયા, કિરણ રેડ્ડી, હિમંતા બિસ્વા સરમા અને અનિલ એન્ટની પર પણ નિશાન સાધ્યું છે. રાહુલે અદાણીના નામના સ્પેલિંગ સાથે તે નેતાઓના નામ પણ ઉમેર્યા છે અને કહ્યું છે કે “તે સત્ય છુપાવે છે. તેથી જ તે રોજે રોજ ગેરમાર્ગે દોરે છે, પ્રશ્ન એક જ છે – અદાણીની કંપનીઝમાં રૂ.20,000 કરોડના બેનામી નાણાં કોની પાસે છે?”