PM મોદી 8 એપ્રિલે તમિલનાડુને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ

0
127

ચેન્નાઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાશે

વડાપ્રધાન ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ એપ્રિલે તમિલનાડુને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. તેઓ  તમિલનાડુમાં કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તમિલનાડુમાં ૮ એપ્રિલે પીએમ મોદી ચેન્નાઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, અહીં 3700 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ અહીં ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. આ સિવાય રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં પણ ભાગ લેશે.