Home Desh Fatal Attack on Ashutosh Maharaj :ચાલતી ટ્રેનમાં લોહિયાળ ખેલ: શંકરાચાર્ય પર FIR...

Fatal Attack on Ashutosh Maharaj :ચાલતી ટ્રેનમાં લોહિયાળ ખેલ: શંકરાચાર્ય પર FIR નોંધાવનાર આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલો, નાક કાપવાનો પ્રયાસ

0
254
Ashutosh Maharaj
Ashutosh Maharaj

Fatal Attack on Ashutosh Maharaj :શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર યૌન શોષણનો ગંભીર આક્ષેપ કરી FIR નોંધાવનાર આશુતોષ બ્રહ્મચારી પર રવિવારે વહેલી સવારે રીવા એક્સપ્રેસ ટ્રેનમાં જીવલેણ હુમલો થયો છે. હુમલાખોરે ધારદાર હથિયાર વડે મહારાજનું નાક કાપવાનો અને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં આશુતોષ મહારાજે ટ્રેનના ટોયલેટમાં છુપાઈને માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.

Fatal Attack on Ashutosh Maharaj :વહેલી સવારે 5 વાગ્યે થયો હુમલો

Fatal Attack on Ashutosh Maharaj

ઘટનાની વિગતો મુજબ, આશુતોષ બ્રહ્મચારી ગાઝિયાબાદથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન ફતેહપુર અને કૌશાંબી વચ્ચેના સિરાથુ સ્ટેશન પાસે પહોંચી, ત્યારે ફર્સ્ટ AC કોચમાં એક અજાણ્યા શખ્સે તેમના પર હુમલો કર્યો હતો.

  • ઈજાઓ: હુમલાખોરે ચહેરા અને હાથ પર અનેક ઘા માર્યા હતા.
  • બચાવ: હુમલા બાદ આશુતોષ મહારાજ ભાગીને ટોયલેટમાં ભરાઈ ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાંથી તેમણે GRP કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી.

Fatal Attack on Ashutosh Maharaj :ષડયંત્રનો આક્ષેપ: “નાક કાપવા માટે 1 લાખની સોપારી અપાઈ”

GRP ને આપેલી ફરિયાદમાં આશુતોષ મહારાજે સીધો આક્ષેપ કર્યો છે કે:

  1. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુંદાનંદ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ કરવા બદલ આ હુમલો કરાયો છે.
  2. મથુરાના દિનેશ શર્મા નામના વ્યક્તિએ તેમનું નાક કાપનારને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
  3. હુમલા પાછળ શંકરાચાર્યના શિષ્યો અને અન્ય મળતિયાઓનો હાથ હોવાનું તેમણે જણાવ્યું છે.

કોણ છે આશુતોષ મહારાજ?

Fatal Attack on Ashutosh Maharaj

આશુતોષ બ્રહ્મચારી જગદ્ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય છે. તેમનો જન્મ શામલીના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને 2022 માં તેમણે દીક્ષા લીધી હતી. હાલમાં તેઓ કાંધલાના પ્રાચીન શાકુંભરી સિદ્ધપીઠ મંદિરના પ્રબંધક તરીકે સેવા આપી રહ્યા છે.

શંકરાચાર્યની યાત્રા પર ઉઠાવ્યા હતા સવાલો

હુમલા પહેલા આશુતોષ મહારાજે શંકરાચાર્યની યાત્રા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ યાત્રાના બહાને પ્રશાસન પર દબાણ લાવવા અને પીડિત સગીરોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોલીસ પાસે શંકરાચાર્ય પર નજર રાખવાની પણ માંગ કરી હતી.

હાલમાં GRP એ આ મામલે FIR નોંધી છે અને હુમલાખોરની શોધખોળ સાથે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :યુદ્ધના કારણે ઊર્જા સંકટ: ઈરાને રસ્તો રોક્યો તો ઓસ્ટ્રેલિયા-કેનેડા ભારતની વહારે, જાણો શું છે માસ્ટર પ્લાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે