ચપ્પલ સાફ કરવાની ઓકાતવાળા સરકારમાં બેઠા છે : ઠાકરે

    0
    230

    મહારાષ્ટ્રના રાજકારણમાં ગમે તે ઘડીએ મોટો ધડાકો થઇ શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદે પર આડકતરી રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઠાકરેએ કહ્યું છે કે, “અમારી સરકાર પાડવામાં આવી છે, તેનો બદલો અમે બિલકુલ લઈશું જ. ચપ્પલ લૂંછવાની ઓકાતવાળા લોકો અત્યારે સરકારમાં બેઠા છે.” ઠાકરેના આ નિવેદન પર શિંદેએ કહ્યું છે કે, “ચપ્પલ લૂંછનારા ગરીબ હશે, પરંતુ તમારા કરતા વધુ ઈમાનદાર છે. કારણ કે, તેઓ પોતાના મહેનતનો રોટલો ખાય છે. તેઓ વિશ્વાસઘાતી નથી.”