રૂપિયાની નોટો ગણીને હાંફી ગયા અધિકારીઓ.. દેશનું સૌથી મોટું કેશ કૌભાંડ !

2
90
રૂપિયાની નોટો ગણીને હાંફી ગયા અધિકારીઓ
રૂપિયાની નોટો ગણીને હાંફી ગયા અધિકારીઓ

ઓડિશામાં દારૂ બનાવતી કંપનીના ગ્રુપ સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા સોમવારે સતત છઠ્ઠા દિવસે ચાલુ રહ્યા હતા. દેશનું સૌથી મોટું કેશ કૌભાંડ સાબિત થયું છે અને અધિકારીઓ રૂપિયાની ગણતરી કરતા હાંફી ગયા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના તાર આ સમગ્ર કેશ કૌભાંડમાં જોડાયેલા છે જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં કુલ 353 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રિકવર કરવામાં આવી છે. દેશભરમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં વસૂલવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.આવકવેરા વિભાગના અધિકારીઓ બૌધ જિલ્લામાં કોંગ્રેસના સાંસદના પરિવારની માલિકીની બૌધ ડિસ્ટિલરીઝના સુદાપાડા એકમ પર પહોંચ્યા, જ્યાં કેન્દ્રીય એજન્સીએ 6 ડિસેમ્બરે તેનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સંબલપુર, તિતલાગઢ, સુંદરગઢ, બોલાંગીર અને ભુવનેશ્વરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે, ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે રવિવારે રાત્રે જપ્ત કરાયેલી રોકડની ગણતરી પૂર્ણ કરી અને હવે રિકવર કરાયેલા દસ્તાવેજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રવિવાર રાત સુધીમાં 353 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડની ગણતરી કરવામાં આવી હતી અને જપ્ત કરવામાં આવી હતી.” દેશમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં વસૂલવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.ઓડિશામાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટી એ સોમવારે શાસક બીજુ જનતા દળ અને રાજ્ય સરકાર પર તેના હુમલાને વધુ ગંભીર બનાવ્યો, અને રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેપાર અને કાળા નાણાંના પ્રસારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

આવકવેરા વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂના ઘરમાંથી 354 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટી અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુઓ છે. ભાજપે આ મુદ્દે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

શરૂઆતથી જ ભાજપનું માનવું છે કે કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુઓ છે. કોંગ્રેસ આવી બાબતો માટે જાણીતી છે. આ કોંગ્રેસની રાજનીતિ છે. કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂની કેબિનેટ કાળા નાણાંથી ભરેલી હતી. આ ગરીબોના પૈસા છે. હજુ મતગણતરી ચાલી રહી છે અને મતગણતરી ક્યાં અટકશે તે જાણી શકાયું નથી.કોંગ્રેસ પક્ષ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયો છે. તેઓ હંમેશા ઇડી અને આઇટી પર આરોપ લગાવે છે. ભાજપ રાહુલ ગાંધીને પૂછવા માંગે છે કે તેઓ હવે શું કહેશે. સોનિયા ગાંધીએ હંમેશા કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે, આજે દરેક વ્યક્તિ તેમના વિશે જાણવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ ભ્રષ્ટ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કોંગ્રેસે જવાબ આપવો પડશે કે ગરીબોના આ પૈસા કેવી રીતે લૂંટી લેવાયા. ભાજપ દરેકને જેલમાં મોકલી દેશે.’


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.