Noble University: જૂનાગઢની નોબલ યુનિવર્સિટી સંચાલિત નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટો ફટકો પડ્યો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) દ્વારા કોલેજની 100 BAMS બેઠકો માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે નવા શૈક્ષણિક સત્રમાં આ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મુશ્કેલી ઊભી થઈ છે.
Noble University: NCISMની મંજૂરી ન મળતાં પ્રવેશ પ્રક્રિયા અટકી

કોલેજમાં BAMS અભ્યાસક્રમ માટેની 100 બેઠકોના પ્રવેશને લઈને NCISM દ્વારા મંજૂરી નકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નિયમનકારી માપદંડો અને જરૂરી પ્રક્રિયા અંગેની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હવે કોલેજ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી અને જરૂરી મંજૂરી મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી શકે છે.
વિદ્યાર્થીઓમાં ચિંતા

પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ નિર્ણય મહત્વનો બન્યો છે. કોલેજમાં પ્રવેશની આશા રાખતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. આગામી સમયમાં અપીલ અથવા નિયમનકારી પ્રક્રિયા દ્વારા મામલો ઉકેલાય છે કે કેમ તેના પર નજર રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રશિયન તેલ ખરીદતા દેશો સામે કડક કાર્યવાહીનો રસ્તો ખુલ્યો; ટ્રમ્પની સહીથી ભારત પર 100% ટેરિફનો ખતરો વધ્યો

