કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

0
236
કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી
કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી

પાંચ લોકો નિપાહ વાયરસથી થયા સંક્રમિત

નવ વર્ષના બાળકની હાલત ઈન્ફેક્શનને કારણે ખૂબ જ ગંભીર

કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે ચેપનું જોખમ વધી રહ્યું છે, અહીં પાંચમા સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી 24 વર્ષીય આરોગ્ય કર્મચારીએ નિપાહ વાયરસ ચેપનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો  છે. અહીં એક નવ વર્ષના બાળકની હાલત ઈન્ફેક્શનને કારણે ખૂબ જ ગંભીર છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.

રાજ્યમાં નિપાહ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે બુધવારે કોઝિકોડ અને અન્ય આસપાસના વિસ્તારોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લગભગ 76 લોકોની પણ તપાસ કરવામાં આવી છે, તેમની સ્થિતિ સ્થિર છે. તબીબોની ટીમે કહ્યું છે કે તમામ લોકોએ આ ચેપી રોગને રોકવા માટે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ. ચેપના વધતા જોખમોને કારણે નજીકના રાજ્યોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નિપાહ જેના કારણે કેરળમાં સ્વાસ્થ્ય જોખમો વધી રહ્યા છે તે વાસ્તવમાં બાંગ્લાદેશી પ્રકાર છે અને તે ઘણી રીતે ચિંતાનું કારણ બની શકે છે. રિસર્ચ રિપોર્ટમાં આ વેરિયન્ટ્સની પ્રકૃતિ વિશે લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. તે કોરોના કરતા વધુ ચેપી અને ઘાતક હોઈ શકે છે.નિપાહથી સંક્રમિત લોકોમાં મૃત્યુદર 40 થી 75 ટકાની વચ્ચે હોઈ શકે છે, જે ગંભીર ચિંતાનું કારણ છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે નિપાહ સંક્રમણને રોકવા માટે તમામ લોકોએ પ્રયાસો કરતા રહેવાની જરૂર છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ