Mission Divyastra :  DRDOને મળી મોટી સફળતા,  સ્વદેશી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ

0
154
Mission Divyastra
Mission Divyastra

Mission Divyastra : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે DRDOનું મિશન દિવ્યસ્ત્ર સફળ થયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ.

Mission Divyastra : 2022માં પણ ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે 5500 કિલોમીટરના અંતરે લક્ષ્યને નષ્ટ કર્યું. આ મિસાઈલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. મુદ્દો એ નથી કે તેની રેન્જ શું છે, ચીન અને ઘણા દેશોને ડર છે કે તેમનો આખો વિસ્તાર આ મિસાઈલના રડારમાં આવી રહ્યો છે.

Mission Divyastra

વૈજ્ઞાનિક એમ. નટરાજને સૌપ્રથમવાર 2007માં આ મિસાઈલની યોજના બનાવી હતી. મોબાઈલ લોન્ચરનો ઉપયોગ અગ્નિ-5 મિસાઈલ (અગ્નિ-વી) કરવા માટે થાય છે. તેને ટ્રકમાં ભરીને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય છે.

Mission Divyastra

Mission Divyastra : અગ્નિ-5 મિસાઈલ (Agni-V ICBM)નું પ્રથમ સફળ પરીક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ થયું હતું. તે પછી, 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018 ના રોજ સફળ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. અગ્નિ-5 મિસાઈલના સાત સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં મિસાઈલનું વિવિધ માપદંડો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો હતો કે આ મિસાઈલ દુશ્મનને નષ્ટ કરવા માટે એક ઉત્તમ હથિયાર છે. 

Mission Divyastra : અગ્નિ-5 મિસાઈલની વિશેષતા

Mission Divyastra

- 50 હજાર કિલોનું વજન
- અગ્નિ-5 ત્રણ તબક્કામાં ત્રાટકનાર મિસાઈલ છે
- 17 મીટર લાંબી, બે મીટર પહોળી
- 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે
- આ મિસાઈલ માર્ગ અને દિશા-નિર્દેશન, વિસ્ફોટક લઈ જનાર હિસ્સા તથા એન્જિનની દ્રષ્ટિએ ઘણી બેસ્ટ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો