Home Desh Mann Ki Baat:’મન કી બાત’ વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે PM મોદીનો હિંમતભર્યો...

Mann Ki Baat:’મન કી બાત’ વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે PM મોદીનો હિંમતભર્યો સંદેશ; ‘ભારત કોઈ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ’

0
315
Mann Ki Baat
Mann Ki Baat

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમના 132મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં PM મોદીએ વૈશ્વિક પેટ્રોલ-ડીઝલના સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ ભારતની મજબૂત સ્થિતિનો અહેસાસ પણ કરાવ્યો હતો.

Mann Ki Baat: વિશ્વની ઉર્જા જરૂરિયાતના કેન્દ્રમાં યુદ્ધ ભારત મક્કમ

વડાપ્રધાને જણાવ્યું હતું કે, વર્તમાનમાં જે વિસ્તારમાં યુદ્ધ ચાલી રહ્યું છે તે વિશ્વની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, “છેલ્લા એક દાયકામાં ભારતે જે સામર્થ્ય કેળવ્યું છે અને આપણા જે મજબૂત વૈશ્વિક સંબંધો છે, તેના કારણે આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમતાથી ટકી રહ્યા છીએ.”

Mann Ki Baat

Mann Ki Baat: અફવાઓ ફેલાવનારાઓ સામે આકરા પ્રહાર

દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર વડાપ્રધાને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે:

  • નાગરિકોએ માત્ર સરકારની સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ.
  • આ ગંભીર વિષય પર રાજનીતિ કરવી એ 140 કરોડ ભારતીયોના હિત સાથે ચેડા કરવા સમાન છે.
  • અફવાઓ ફેલાવવી એ દેશને મોટું આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડે છે.

Mann Ki Baat: ખાડી દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા

યુદ્ધગ્રસ્ત વિસ્તારો અને ખાડી દેશોમાં વસતા લાખો ભારતીય પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા PM એ જણાવ્યું કે, “આપણા લાખો પરિવારોના સગા-સંબંધીઓ ત્યાં રહે છે. હું ખાડી દેશોનો આભારી છું કે તેઓ ત્યાં વસતા ભારતીયોને દરેક પ્રકારે મદદ કરી રહ્યા છે.” ભારત સરકાર ત્યાં વસતા નાગરિકોની સુરક્ષા માટે સતત સંપર્કમાં છે.

Mann Ki Baat

Mann Ki Baat: કોરોનાને હરાવ્યો, હવે ઉર્જા સંકટને પણ હરાવીશું”

વર્ષ 2026 ના માર્ચ મહિનાની આ કપરી સ્થિતિનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે દુનિયાને અપેક્ષા હતી કે કોરોના બાદ શાંતિ અને પ્રગતિ થશે, પરંતુ સતત યુદ્ધની સ્થિતિ સર્જાતી રહી છે. તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું કે જેમ ભારતે ભૂતકાળમાં મોટા સંકટો સામે વિજય મેળવ્યો છે, તેમ આ ઉર્જા સંકટમાંથી પણ આપણે સુરક્ષિત અને એકજૂથ થઈને બહાર આવીશું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ઈરાન સરકારમાં ભયાનક તિરાડયુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ અને IRGC પ્રમુખ આમને-સામને, અર્થતંત્ર તબાહીના આરે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે