#manipur #narendramodi #manipurgoverment મણિપુરમાં વડાપ્રધાન મોદીને રાષ્ટ્રપતિ શાસન લાદ્યાના ત્રણ મહિના બાદ ચૂંટાયેલી સરકારને પુનઃ સત્તા સોંપવાની માગ ઉભી થઈ છે. મણિપુરના 21 ધારાસભ્યોએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખી રાજ્યમાં ચૂંટાયેલી સરકારને પુનઃસ્થાપિત કરવા અપીલ કરી છે.
મણિપુરમાં વડાપ્રધાન મોદીને આપ્યું અલ્ટિમેટમ
મણિપુરના ધારાસભ્યોએ સરકારને સત્તા સોંપવા મુદ્દે ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે. તેઓએ કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે કે, જો મણિપુરમાં શાંતિ જોઈએ તો 15 મે સુધી સરકારને પુનઃસ્થાપિત કરવા નિર્ણય લો. જો 15 મે સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ પોતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.
આ અરજી પત્રમાં ભાજપના 14 ધારાસભ્યોના નામ પણ સામેલ છે. નેશનલ પીપલ્સ પાર્ટીના ત્રણ, નાના પીપલ્સ ફ્રન્ટના બે અને બે અપક્ષ ધારાસભ્ય સામેલ છે. તે સિવાય આ ધારાસભ્યોને 10 કુકી સમુદાયના ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું છે.

મણિપુરના ધારાસભ્યોએ પીએમ મોદીને આપ્યું અલ્ટિમેટમ

મણિપુરના 21 ધારાસભ્યોએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

15 મે સુધી સરકારને પુનઃસ્થાપિત કરવા નિર્ણય લો સરકાર નિર્ણય નહીં લે તો પોતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
Table of Contents
Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE