Home Desh Manipur Gets New Government: મણિપુરમાં NDAની વાપસી: યુમનામ ખેમચંદ સિંહ બન્યા 13મા...

Manipur Gets New Government: મણિપુરમાં NDAની વાપસી: યુમનામ ખેમચંદ સિંહ બન્યા 13મા મુખ્યમંત્રી

0
366
Manipur

Manipur Gets New Government: મણિપુરમાં લાંબા સમયથી ચાલતા રાજકીય અનિશ્ચિતતા બાદ રાજ્યને નવી સરકાર મળી છે. ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલ સ્થિત લોકભવનમાં તેમને શપથ લેવડાવ્યા. આ સાથે રાજ્યમાં ફરી એકવાર NDAની સરકાર રચાઈ છે.

નગા સમુદાયમાંથી આવતા નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના ધારાસભ્ય લોસી દિખોને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે કુકી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેમચા કિપગેને પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નેમચા કિપગેને દિલ્હી સ્થિત મણિપુર ભવનથી વીડિયો કોન્ફરન્સ મારફતે શપથ લીધા હતા. તેઓ મણિપુરના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

Manipur Gets New Government: રાષ્ટ્રપતિ શાસન હટતા સરકાર રચનાનો માર્ગ ખુલ્યો

Manipur Gets New Government

આજે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરમાં 356 દિવસથી લાગુ રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું હતું. મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસાને કારણે 9 ફેબ્રુઆરી 2025ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 13 ફેબ્રુઆરી 2025થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

Manipur Gets New Government: દિલ્હી બેઠકમાં ખેમચંદ સિંહના નામ પર સહમતિ

3 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 4 ફેબ્રુઆરીએ NDAના ઘટક પક્ષોની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામો પર અંતિમ મહોર લાગી.

Manipur Gets New Government: મધ્યમમાર્ગી છબી ધરાવતા ખેમચંદ સિંહ

ઈમ્ફાલ વેસ્ટના સિંગજામેઈ વિસ્તારથી ભાજપના ધારાસભ્ય રહેલા યુમનામ ખેમચંદ સિંહ 2017થી 2022 દરમિયાન મણિપુર વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. 2022માં બિરેન સિંહની બીજી સરકારમાં મંત્રી તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી.
મૈતેઈ સમુદાયમાંથી આવતા હોવા છતાં તેમને કટ્ટર નહીં પરંતુ મધ્યમમાર્ગી નેતા તરીકે જોવામાં આવે છે. મે 2023ની હિંસા બાદ ડિસેમ્બર 2025માં કુકી બહુમતી વિસ્તારો અને રાહત શિબિરોની મુલાકાત લેનારા તેઓ પ્રથમ મેઇતેઇ નેતા હતા.

નેમચા કિપગેનનો રાજકીય અનુભવ

Manipur Gets New Government

નાયબ મુખ્યમંત્રી બનેલા નેમચા કિપગેન અગાઉ બિરેન સિંહ સરકારમાં સામાજિક કલ્યાણ, સહકાર, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મૈતેઈ-કુકી હિંસા દરમિયાન ઇમ્ફાલમાં તેમનું સરકારી આવાસ સળગાવી દેવામાં આવ્યું હતું. તેઓ પહાડી વિસ્તારો માટે અલગ વહીવટની માંગ કરનાર 10 કુકી-જો ધારાસભ્યોમાં સામેલ રહ્યા છે.

વિધાનસભાની હાલની સ્થિતિ

60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે હાલ 37 ધારાસભ્યો છે. સરકારનો કાર્યકાળ 2027 સુધીનો છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાનસભાને સ્થગિત કરવામાં આવી હતી.

કુકી-મૈતેઈ હિંસાના મુખ્ય કારણો

મણિપુરમાં થયેલી હિંસાના મુખ્ય કારણોમાં મૈતેઈ સમુદાય માટે ST દરજ્જાની માંગ, કુકી સમુદાયની અલગ વહીવટની માંગ અને ડ્રગ્સ તસ્કરીના આરોપો સામેલ છે. આ મુદ્દાઓને લઈને બંને સમુદાય વચ્ચે ઊંડો અવિશ્વાસ સર્જાયો છે.

નવી સરકાર સામે સૌથી મોટો પડકાર રાજ્યમાં શાંતિ, વિશ્વાસ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો રહેશે. સરકાર દ્વારા આ દિશામાં લેવાતા પગલાં પર સમગ્ર દેશની નજર રહેશે.

આ પણ વાંચો : રેલવેની મોટી ભેટ: 10 રાજ્યોના 17 શહેરોને જોડતી 20 નવી ટ્રેનો શરૂ, મુસાફરોને મળશે મોટી રાહત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે